હિમાચલ પ્રદેશમાં સીએમ સુક્ખૂ કેબિનેટમાં વિસ્તરણ, 7 મંત્રી લેશે શપથ
હિમાચલ પ્રદેશના આજે 7 મંત્રીઓ શપથ લેશે. કોગ્રેસ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ સુક્ખુ કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સૂક્ખૂ કેબિનેટમાં વિસ્તરણ રવિવારે સવારે 10 વાગ્યે કરવામાં આવશે. આ અંગેની જાણકારી કોગ્રેસ તરફથી આપવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ આજે 7 મંત્રી શપથ લેશે. સુક્ખૂ કેબિનેટ મંત્રી પદની શફથ પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પૂત્ર વિક્રમાદિત્ય સિંહ, ધનીરામ, શાડિલ, હર્ષવર્ધન ચૌહાણ લેશે. વધારે મંત્રીઓની જાણકાી નથી આપવામાં આવી.
તમને જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશની 68 બેઠકો પર વોટિંગ નવેમ્બરમાં યયુ હતુ. જ્યારે રિજલ્ટની જાહેરાત 8 નવેમ્બરના રોજ થઇ હતી. પ્રદેશમાં પાંચ વર્ષો બાદ ફરી કોગ્રેસની સત્તા પરત આવી છે. પાર્ટીએ 68 બેઠકોમાથઈ 40 પર જીત મેળવી છે. ભાજપને 25 બેઠકો પર જીત મળી છે. જ્યારે 3 સીટો પર અપક્ષ ઉમેદવારોની જીત થઇ છે.
હિમાચલ પ્રદેશમાં કોગ્રેસે જીતનો શ્રેય પ્રિયંકા ગાંધીને આપ્યો હતો. પાર્ટી તરફથી પ્રિયંકા ગાંધીને ચૂંટણીની જવાબદારી શોપવામાં આવી હતી. તેમણે કોગ્રેસના સ્થાનીય નેતાઓ સાથે મળીને ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી. તેમણે લગભગ દરેક ચૂંટણીમાં લગભગ ભાજપ પર વિકાસને લઇને હૂમલો કર્યો હતો. જેની અસસર ચૂંટણીમાં થઇ હતી. અને તેમણે કોગ્રેસના પક્ષમાં મત કર્યો હતો.