કેબિનેટમાં મોટા ફેરફાર પહેલા કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ અને સંતોષ ગંગવારે આપ્યુ રાજીનામુ
આજે સાંજે 6 વાગે કેબિનેટમાં થનારા મોટા ફેરફારના અમુક કલાકો પહેલા જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારમાં કેબિનેટ વિસ્તરણ માટેની અટકળો તેજ થઈ ગઈ છે. આ દરમિયાન આજે સાંજે 6 વાગે થનારા મોટા ફેરફારના અમુક કલાકો પહેલા જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ બે મંત્રીઓ રમેશ પોખરિયાલ નિશંક અને સંતોષ ગંગવારે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. વળી, પશ્ચિમ બંગાળમાંથી રાયગંજના સાંસદ અને કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી દેબાશ્રી ચૌધરીને મંત્રાલયમાંથી હટાવવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પીએમ મોદીને પત્ર લખીને રાજીનામુ આપ્યાની વાત કહી છે. તેમણે આની પાછળ આરોગ્યના કારણોનો હવાલો આપ્યો છે. હાલમાં જ તેઓ કોરોના વાયરસથી રિકવર થઈને કામ પર પાછા આવ્યા હતા. રમેશ પોખરિયાલ કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જો કે તેમણે હજુ સુધી કારણોનો ખુલાસો કર્યો નથી.
સૂત્રોની માનીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની પણ મંત્રીમંડળમાંથી છુટ્ટી થઈ શકે છે અથવા તેમને કોઈ બીજુ મંત્રાલય આપવામાં આવી શકે છે. કોરોના વાયરસની બીજીલહેરમાં મોદી સરકાર સવાલોના ઘેરામાં આવી હતી તેની પરિણામ હર્ષવર્ધને ભોગવવુ પડી શકે છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ








Click it and Unblock the Notifications
