Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મંત્રીમંડળમાં ફેરફારનો શ્રેય રાહુલ પાસેથી આંચકી લેતા અણ્ણા

anna hazare
નવીદિલ્હી, 29 ઑક્ટોબરઃગાંધીવાદી અણ્ણા હઝારે ફરી લાઇમલાઇટમાં આવ્યા છે. કેન્દ્રના નવા મંત્રીમંડળની રચના બાદ તેમણે જે નિવેદન આપ્યું છે તેના પરથી એવું લાગે છે કે તેઓ એ વાત જણાવવા માંગી રહ્યા છે કે કેબિનેટમાં ફેરબદલ થવા પાછળ તેમની ભૂમિકા છે. તેમણે એવું નિવેદન કર્યું હતું કે તેમણે કેબિનેટના છ મંત્રીઓની વિકેટ લીધી છે. તેમના આ પ્રકારના નિવેદન પરથી એવુ લાગી રહ્યું છે કે તેઓ નવા મંત્રીમંડળની રચનાનો શ્રેય રાહુલ ગાંધી સાથે શેર કરવા પ્રયત્નો કરી રહ્યાં છે.

કેબિનેટમાં તત્કાળ નહીં જોડાવાના રાહુલ ગાંધીના નિર્ણય અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે યુપીએ કેબિનેટમાં ફેરબદલમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. અણ્ણાએ સોમવારે એવુ નિવેદન કર્યું છે કે, યુપીએ કેબિનેટમાંથી છ મંત્રીઓને રાજીનામું આપવા માટે દબાણ કરવા આવવા પાછળનું કારણ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલો વિરોધ છે.

અણ્ણાએ કેબિનેટમાં થયેલા ફેરબદલનો શ્રેય લેતા કહ્યું છે, '' મારા ચરિત્ર પર કોઇ દાગ નથી, તેથી હું આ ગુંડાઓ સાથે લડું છે અને જૂઓ મે છ કેબિનેટમંત્રીઓની વિકેટ લીધી છે.''

વિદેશમંત્રી એસએમ ક્રૃષ્ણા, માહિતી અને પ્રસારણમંત્રી અંબિકા સોની, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી મુકુલ વાસનિક, મંત્રી અગથા સંગમા અને મંત્રી વિનસેન્ટ પાલા સહિત છ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X