Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અલગાવવાદીઓ માટે સૉફ્ટ કૉર્નર, પીએમ ટ્રુડો સાથે અફેર..., કોણ છે કેનેડાની વિદેશ મંત્રી મેલાની જોલી?

Canada Foreign Minister Melanie Joly: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા આમને સામને છે. વાસ્તવમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં આપણા દેશનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.

જેના થોડા સમય બાદ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ જાહેરાત કરી કે 'ભારતીય રાજદ્વારીને અહીંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે.' જો કે કેનેડાના આ પગલા સામે ભારતે પણ કડક કાર્યવાહી કરી છે. તેણે દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનને બોલાવીને વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો.

Melanie Joly

સોશિયલ મીડિયા પર કેનેડા vs ભારતને લઈને ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી ફરી એકવાર હેડલાઈન્સમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે મેલાની જોલીનું નામ આ પહેલા પણ ઘણા વિવાદોમાં છવાયેલુ છે. વર્ષ 2021થી તે કેનેડાનું વિદેશ મંત્રાલય સંભાળી રહી છે પરંતુ તે વ્યવસાયે વકીલ છે. વિદેશ મંત્રી બનતા પહેલા પણ તેમણે ઘણા મંત્રાલયો સંભાળ્યા હતા.

તમને જણાવી દઈએ કે અત્યંત તેજસ્વી મેલાની જોલી લિબરલ પાર્ટીના સાંસદ છે અને તેમણે મોન્ટ્રીયલ યુનિવર્સિટી અને બ્રેસેનોઝ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે. તેમણે વર્ષ 2013માં મેયરની ચૂંટણી લડી હતી. તેમના પિતાનું નામ ક્લેમેન્ટ જોલી છે, જેઓ વ્યવસાયે અકાઉન્ટન્ટ છે.

વર્ષ 2021માં મેલાની જોલીએ સંસદમાં બિલ C-32 રજૂ કર્યું, જેનો હેતુ કેનેડામાં ફ્રેન્ચ અને અંગ્રેજી વચ્ચે સમાનતા લાવવાનો હતો, જેના માટે તે ખૂબ લોકપ્રિય પણ થયા હતા. આટલું જ નહીં વર્ષ 2015માં જ્યારે તેમને હેરિટેજ મિનિસ્ટર બનાવવામાં આવ્યા ત્યારે તેમનું નામ ઘણા વિવાદોમાં પણ સામે આવ્યું હતું, તેમના પર સરમુખત્યારશાહી અને અલગતાવાદીઓને ટેકો આપવાનો અને તેમના પ્રત્યે સોફ્ટ કોર્નર રાખવાનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ વર્ષ 2018માં આ વિભાગ તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો.

આ દરમિયાન મેલાની જોલી વિશ્વભરના વિદેશી મીડિયામાં નેટફ્લિક્સ પર આપવામાં આવેલી ડીલને લઈને પણ ચર્ચામાં હતા કારણ કે તેમણે કહ્યું હતું કે નેટફ્લિક્સ આગામી પાંચ વર્ષમાં દેશમાં 500 મિલિયન ડૉલરનું રોકાણ કરશે, જે પછી ક્યુબામાં નેટફ્લિક્સ પર ટેક્સ લાદવાની માંગ કરવામાં આવી હતી. આ પછી મેલાની જોલીને ઘણી ટ્રોલ કરવામાં આવી.

મેલાની જોલી અને જસ્ટિન ટુડો વચ્ચેની નિકટતા પણ અવારનવાર લોકોમાં ચર્ચાનો વિષય રહે છે. જસ્ટિને જ્યારે તેની પત્ની સોફીથી અલગ થવાની વાત કરી તો એવું કહેવામાં આવ્યું કે કદાચ મેલાની જોલી જ તેમના અલગ થવાનું કારણ છે, વર્ષ 2020ના મીડિયા રિપોર્ટ્સમાં બંનેએ સાથે લંચ કર્યાની પણ વાતો આવી હતી, જો કે આની ક્યારેય કોઈ સત્તાવાર પુષ્ટિ ન હતી. મેલાની જોલી જસ્ટિન ટ્રુડો સાથે દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલ G20 કાર્યક્રમ માટે ભારત પણ આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 18 જૂને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા હરદીપ સિંહ નિજ્જરને ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે 1997માં નકલી પાસપોર્ટ દ્વારા કેનેડા ગયો હતો. જ્યારે ભારતે તેને 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો, ત્યારે જસ્ટિન ટ્રુડોએ તેને કેનેડિયન જાહેર કર્યો હતો. 2022માં પંજાબ પોલીસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના પ્રત્યાર્પણની માંગ કરી હતી, તે ઘણા કેસોમાં વૉન્ટેડ હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X