ઘણા વિવાદો પછી કેનેડિયન પીએમ ગુજરાત પહોંચ્યા, જોરદાર સ્વાગત
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો હાલમાં ભારત પ્રવાસ પર છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો શનિવારે ભારત આવ્યા હતા અને તેમનો ભારત પ્રવાસ 1 અઠવાડિયા જેટલો છે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો હાલમાં ભારત પ્રવાસ પર છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો શનિવારે ભારત આવ્યા હતા અને તેમનો ભારત પ્રવાસ 1 અઠવાડિયા જેટલો છે. રવિવારે તેઓ પરિવાર સાથે તાજમહેલ નું મુલાકાત લેવા ગયા હતા. 23 ફેબ્રુઆરી દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો ભારતમાં આવતાની સાથે જ એક નવો વિવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોડાઈ ગયો છે. જયારે જસ્ટિન ટ્ર્ડો ભારત આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે પીએમ ને બદલે જુનિયર મિનિસ્ટર ગયા હતા. જેના કારણે વિવાદ શરૂ થયો અને કેનેડિયન મીડિયા સવાલ કરવા લાગી કે નરેન્દ્ર મોદી બાકી નેતાની જેમ તેમના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડોનું સ્વાગત કેમ ના કર્યું. તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ કેમ ના ગયા.

સાબરમતી આશ્રમ
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો તેમના પુરા પરિવાર સાથે સાબરમતી આશ્રમમાં રેંટિયો કાંતતા નજરે પડ્યા હતા.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો પરિવાર સાથે પહોંચ્યા અક્ષરધામ
સોમવારે સવારે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ ત્યાંથી સાબરમતી આશ્રમ પહોંચ્યા પત્ની અને બાળકો સાથે જસ્ટિન ટ્રુડો ભારતીય પોષાકમાં સજ્જ હતાં. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ જસ્ટિન ટ્રુડો ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લીધી. જસ્ટિન ટ્ર્ડો આઇઆઇએમ માં વિદ્યાર્થી ઓ સાથે વાતચીત પણ કરશે.

ગુજરાતી લંચનું આયોજન
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો માટે ખાસ ગુજરાતી લંચનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે જસ્ટિન ટ્ર્ડો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાની સાથે મુલાકાત કરશે.

સોશ્યિલ મીડિયા પર વિવાદ
સોશ્યિલ મીડિયા પર લોકો વિરોધ કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરવા માટે કેમ ગયા નહીં. જસ્ટિન ટ્રુડોની સ્વાગત કૃષિ રાજ્યમંત્રી ઘ્વારા કરવામાં આવ્યું હતું. કેનેડા પર આરોપ છે કે તેઓ અલગાવવાદીઓનો પંજાબને અલગ દેશ જાહેર કરવાની માંગને સમર્થન આપી રહ્યા છે.

જસ્ટિન ટ્રુડો કેપ્ટન અમરિન્દર સિંહ સાથે મુલાકાત નહીં કરે
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્ર્ડો ઘ્વારા કેપ્ટન અમરિન્દર સિંહ સાથે મુલાકાતથી ઇન્કાર કરી દેવામાં આવ્યું છે. કેપ્ટન અમરિન્દર સિંહ ઘ્વારા જસ્ટિન ટ્ર્ડો પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમની કેબિનેટના કેટલાક લોકો ખાલિસ્તાનના આતંકવાદીઓનું સમર્થન કરે છે. જસ્ટિન ટ્ર્ડો કેબિનેટમાં સૌથી વધુ શીખ મંત્રી છે. નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ જયારે જસ્ટિન ટ્ર્ડો આગ્રા આવ્યા ત્યારે સીએમ યોગી ઘ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું નહીં.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
