કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના સીએમ પદેથી રાજીનામું આપ્યું!
લાંબા વિવાદ બાદ આખરે પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાછા પગલા ભરવા પડ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેની લડાઈમાં કેપ્ટન અમરિંદરસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.
લાંબા વિવાદ બાદ આખરે પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાછા પગલા ભરવા પડ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેની લડાઈમાં કેપ્ટન અમરિંદરસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. સવારથી ચાલી રહેલી ઘટનાઓને જોતા જ લાગી રહ્યું હતું કે સાંજ પડતા કેપ્ટન રાજીનામું આપી શકે છે. ત્યારે હવે આખરે કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યુ છે.
પંજાબમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે ત્યારે ખબર તો એવી પણ છે કે કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી પદ સાથે સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમરિંદરે તેમના સમર્થક ધારાસભ્યો સાથેની બેઠકમાં આ જાહેરાત કરી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આજે સાંજે 5 વાગ્યે વિધાયક દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરાઈ શકે છે.
આ પહેલા સમાચાર આવ્યા હતા કે, કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ હાઇકમાન્ડ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાનું અપમાન થઈ રહ્યું હોવાનું કહ્યું હતું. ત્યારબાદથી જ અટકળો લાગી રહી હતી કે, સાંજ પડતા કેપ્ટન રાજીનામું આપી શકે છે.