Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના સીએમ પદેથી રાજીનામું આપ્યું!

લાંબા વિવાદ બાદ આખરે પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાછા પગલા ભરવા પડ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેની લડાઈમાં કેપ્ટન અમરિંદરસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

લાંબા વિવાદ બાદ આખરે પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાછા પગલા ભરવા પડ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેની લડાઈમાં કેપ્ટન અમરિંદરસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. સવારથી ચાલી રહેલી ઘટનાઓને જોતા જ લાગી રહ્યું હતું કે સાંજ પડતા કેપ્ટન રાજીનામું આપી શકે છે. ત્યારે હવે આખરે કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યુ છે.

Captain Amarinder Singh

પંજાબમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે ત્યારે ખબર તો એવી પણ છે કે કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી પદ સાથે સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમરિંદરે તેમના સમર્થક ધારાસભ્યો સાથેની બેઠકમાં આ જાહેરાત કરી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આજે સાંજે 5 વાગ્યે વિધાયક દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરાઈ શકે છે.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે, કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ હાઇકમાન્ડ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાનું અપમાન થઈ રહ્યું હોવાનું કહ્યું હતું. ત્યારબાદથી જ અટકળો લાગી રહી હતી કે, સાંજ પડતા કેપ્ટન રાજીનામું આપી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X