કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને જેલમાંથી કરાયો મુક્ત

ઉલ્લેખનીય છે કે મુંબઇમાં થયેલા અન્ના હજારેના આંદોલન દરમિયાન કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ એક કાર્ટૂન બનાવ્યું હતું. આ કાર્ટૂનમાં રાષ્ટ્રીય પ્રતિક ત્રણ સિંહોની પ્રતિમાના સ્થાને વરૂનું માથું અને સત્યમેવ જયતેના સ્થાને ભ્રષ્ટમેવ જયતે લખ્યું હતું. પોલીસે અસીમ વિરોદ્ધ રાજદ્રોહ સિવાય આઇટી એક્ટ, રાષ્ટ્રીય ચિહ્ન એક્ટ અને સાઇબર ક્રાઇમ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
આ અગાઉ મંગળવારે ચીફ જસ્ટિસ મોહિત શાહ અને જસ્ટિસ નિતિન જામદારની ખંડપીઠની સુનાવણી દરમિયાન પોલીસને આદેશ કર્યો હતો કે એક કલાકની અંદરની પોતાના ઉપરી અધિકારીને પૂછીને જણાવે કે અસીમને કસ્ટડી શી જરૂરિયાત છે. ત્યારબાદ કોર્ટે અસીમને પાંચ હજારના જામીન પર છોડી મૂક્યા હતા. કોર્ટે મુંબઇના વકીલ સંસ્કાર મરાઠેની જનહિત દરખાસ્ત પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો.
મરાઠેએ પોતાની દરખાસ્તમાં કહ્યું હતું કે અસીમની ધરપકડ ગેરકાનૂની છે. કોર્ટ અસીમ પર દેશદ્રોહના આરોપના મુદ્દે 17 સપ્ટેમ્બરે સુનાવણી કરશે. અસીમે જામીન અરજી આપવાની ના પાડી દિધી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાર સુધી સરકાર તેમના પર લાગેલા દેશદ્રોહના આરોપોને પાછા ખેંચશે નહી ત્યાં સુધી તે જામીન માટે અરજી કરશે નહી.












Click it and Unblock the Notifications
