Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહાત્મા ગાંધીને દેશદ્રોહી કહેનારા કથિત કથાકાર તરુણ મુરારી બાપુ સામે કેસ નોંધાયો!

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંધાજનક વાતો કરવા બદલ ભાગવત કથાકાર તરુણ મુરારી બાપુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

નરસિંહપુર, 4 જાન્યુઆરી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંધાજનક વાતો કરવા બદલ ભાગવત કથાકાર તરુણ મુરારી બાપુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નરસિંહપુરના સ્ટેશન ગંજ પોલીસે તરુણ મુરારી બાપુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેના પર સોમવારે છિંદવાડા રોડ પર વીરા લૉનમાં શ્રીમદ ભાગવત કથા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ છે.

Tarun Murari Bapu

તરુણ મુરારી બાપુએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી ન તો મહાત્મા છે અને ન તો રાષ્ટ્રપિતા હોય શકે છે. જીવતી વખતે દેશના ટુકડા થઈ ગયા તેથી તેને દેશદ્રોહી કહેવા જોઈએ.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે તરુણ મુરારી બાપુના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું. આ મામલામાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી પોલીસ સ્ટેશન ગંજમાં આઈપીસીની કલમ 153, 504, 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે તરુણ મુરારી બાપુ હજુ પણ પોતાની વાત પર અડગ છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ સાર્વજનિક મંચ પરથી ગાંધીજીને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે. આ પહેલા રાયપુર ધર્મ સંસદમાં પણ ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ હતું, જેને લઈને પણ એફઆરઆઈ નોંધાઈ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X