દતિયામાં પશુઓનો વિવાદ થયો લોહીયાળ, ગોળીયોથી ગૂંજ્યુ પુરૂ ગામ, 5 લોકોના મોત
બુધવારે સવારે પાલ અને ડાંગી સમાજ વચ્ચે ડાંગરના ખેતરમાં ઢોર ઘૂસવાના વિવાદને લઈને થયેલી તકરાર ગોળીબારમાં ફેરવાઈ ગઈ હતી.
આ સામૂહિક હત્યાકાંડમાં પાંચ લોકોના મોત થયા હતા. જેમાં ડાંગી સમાજના ત્રણ અને પાલ સમાજના બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે અડધો ડઝન લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને ભાઈનો સમાવેશ થાય છે.

એસપી પ્રદીપ શર્માએ જણાવ્યું કે સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના રેંડા ગામમાં બુધવારે સવારે પ્રકાશ ડાંગીનો તે જ ગામના પ્રિતમ પાલ સાથે તેના ડાંગરના ખેતરમાં ઢોર ઘૂસવાને લઈને વિવાદ થયો હતો.
જે બાદ બંને પક્ષના લોકો બંદૂક અને અન્ય હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. તરત જ ફાયરિંગ શરૂ થઈ ગયું. અડધા કલાકથી વધુ ચાલેલા ફાયરિંગ દરમિયાન આખું ગામ ગોળીઓના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.












Click it and Unblock the Notifications
