Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cauvery Water Dispute: શું છે કાવેરી જળ વિવાદ, જેનો કર્ણાટકમાં થઈ રહ્યો છે હોબાળો, અહીં સમજો

Cauvery Water Dispute: કાવેરી જળ વિવાદના મુદ્દે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધમાં ભાજપ, જેડીએસની સાથે ખેડૂતો અને કન્નડ સંગઠનોએ ભાગ લીધો છે. બંધને ધ્યાનમાં રાખીને મંગળવારે તમામ શાળા-કૉલેજો તેમજ ઘણી દુકાનો બંધ રાખવામાં આવી છે.

દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવો જાણીએ શું છે કાવેરી જળ વિવાદ? આખરે કર્ણાટકમાં આને લઈને હોબાળો કેમ થઈ રહ્યો છે? ખેડૂતો કેમ વિરોધમાં રસ્તા પર ઉતરી રહ્યા છે વિરોધ?

Cauvery Water Dispute

તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે આ છે વિવાદ

કાવેરી વૉટર મેનેજમેન્ટ ઑથોરિટી (CWMA)એ કર્ણાટકને 15 દિવસ માટે 5,000 ક્યુસેક પાણી તમિલનાડુને છોડવાનો નિર્દેશ આપ્યો હતો.જે પછી કર્ણાટક સરકારે હાથ ઊંચા કરીને કહી દીધુ હતું કે ત્યાં છોડવા માટે પૂરતું પાણી નથી. પાણીની વહેંચણી અંગેના CWMA આદેશને પગલે કર્ણાટકમાં પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતા ઊભી થઈ હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર બંનેએ કાવેરી જળ વહેંચણી વિવાદ પર નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

આ મુદ્દાને ઉકેલવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપની માંગ કરતા, સિદ્ધારમૈયાએ કહ્યું કે વડા પ્રધાનને બંને રાજ્યોને બોલાવવાનો અને તેમની દલીલો સાંભળવાનો અધિકાર છે. આ સંદર્ભમાં અમે વડાપ્રધાનને હસ્તક્ષેપની અપીલ કરી છે.

વિવાદનું કારણ

ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, જેઓ વૉટર રિસોર્સ પોર્ટફોલિયો પણ ધરાવે છે, તેમણે કહ્યું કે કર્ણાટક પાસે જરૂરી પાણીનો માત્ર એક તૃતીયાંશ જથ્થો ઉપલબ્ધ છે. સીએમ સિદ્ધારમૈયાએ ઓગસ્ટ પછી ઓછો વરસાદ અને તમિલનાડુને પાણી ન છોડવાના બે મુખ્ય કારણો તરીકે ભૂગર્ભજળનું નીચું સ્તર દર્શાવ્યું હતું. કોંગ્રેસના ટોચના નેતાએ કહ્યું કે અમારો વરસાદ ઓગસ્ટ પછી બંધ થઈ જાય છે, જ્યારે તમિલનાડુમાં તે પછી પણ વરસાદ ચાલુ છે. તેમનું ભૂગર્ભજળનું સ્તર પણ ઊંચું છે, જે અમારી સ્થિતિને વધુ ખરાબ કરે છે.

કાવેરી જળ વિવાદ ઇતિહાસ

કર્ણાટક અને તમિલનાડુ કાવેરી જળ વિવાદ અંગ્રેજોના સમયથી ચાલી રહ્યો છે. 1924માં, મૈસુર રાજ્ય અને મદ્રાસ પ્રેસિડેન્સી વચ્ચે સર્વસંમતિ સધાઈ પછી, એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. મૈસૂરને 44.8 હજાર મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ કરવા માટે કન્નમ્બડી ગામમાં ડેમ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, આ મુદ્દા પર બંને રાજ્યો વચ્ચે સંઘર્ષ વધ્યો અને 1947 પછી, આ વિવાદને ઘણી વખત સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

કાવેરી વૉટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ (CWDT)ની રચના 1990માં સરકાર દ્વારા તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને પુડુચેરી રાજ્યો વચ્ચેના પાણીની વહેંચણીના વિવાદને ઉકેલવા માટે કરવામાં આવી હતી. CWDT એ કર્ણાટકને તામિલનાડુને માસિક અથવા સાપ્તાહિક 205 મિલિયન ઘનફૂટ પાણી છોડવાનો વચગાળાનો આદેશ આપ્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X