સોહરાબુદ્દીન એનકાઉન્ટર ફેક હતું, CBIએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યું
સોહરાબુદ્દીન એનકાઉન્ટર ફેક હતું, કોર્ટમાં CBIએ કહ્યું...
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ મુંબઈમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટને જણાવ્યું કે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિનાં એન્કાઉન્ટર ફેક હતાં. વર્ષ 2005માં સોહરાબુદ્દીન રાજસ્થાન અને ગુજરાત પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મારવામાં આવ્યો હતો, જ્યારે તુલસીરામને વર્ષ 2006માં એક અથડામણ દરિયાન મારવાનો પોલીસે દાવો કર્યો હતો. સીબીઆઈએ આ બંને એન્કાઉન્ટરને ફેક ગણાવ્યાં છે.

સીબીઆઈની દલીલ, એન્કાઉન્ટર ફેક હતાં
સીબીઆઈનો પક્ષ રાખનાર વકીલ બીપી રાજૂએ ન્યાયાધીશ એસ.જે. શર્મા સમક્ષ સબૂતો રજૂ કર્યાં. સોહરાબુદ્દીન એનકાઉન્ટર વિશે સીબીઆઈના વકીલ બીપી રાજૂએ તે રિપોર્ટ્સ તરફ ઈશારો કર્યો જેમાં રાજસ્થાન પોલીસે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન ગુજરાતના કોઈ મોટા નેતાને મારવા આવી રહ્યો હતો અને તેના લશ્કર તથા આઈએસઆઈ સાથે સંબંધ હતા. રાજૂએ કહ્યું કે એ સમયે ઉદયપુર જિલ્લામાં સબ ઈન્સપેક્ટર કુંભ સિંહે આવી કોઈ સૂચના મળી હોવાનો ઈનકાર કર્યો હતો. જજે પૂછ્યું કે આ સૂચનાના સૂત્રો વિશે તપાસ કેમ ન કરાઈ.

રાજસ્થાન પોલીસનો દાવો ખોટો
બીપી રાજૂએ કહ્યું કે તુલસીરામ પ્રજાપતિએ મરચું પાવડરનો ઉપયોગ કરી બચી નીકળ્યો હોવાની વાત સાચી નથી લાગી રહી. એમણે કહ્યું કે તુલસીરામના ફિંગરપ્રિન્ટ પિસ્તોલ પર પણ નથી મળ્યા, જેના વિશે પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો. વકીલે કહ્યું કે તુલસીરામને એક વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો, જે બાદ 27 નવેમ્બર 2006ના રોજ તે જેલમાંથી ફરાર થઈ જાય છે અને બે દિવસ બાદ 28 નવેમ્બરે તેનું એન્કાઉન્ટર પણ થઈ જાય છે. ભાગતી વખતે તેની પાસે પિસ્તોલ હોય તે કેવી રીતે શક્ય છે. આ દરમિયાન આરોપીઓ તરફથી વકીલે પોતાની દલીલો રજૂ કરી.

જજે સીબીઆઈને ફટકાર લગાવી
ફરિયાદી પક્ષે સવાલ કર્યો કે સોહરાબુદ્દીનની પાકિટમાંથી મળેલ ટિકિટ પર લોહીનાં નિશાન નથી મળ્યા, જેના વિશે પોલીસે દાવો કર્યો હતો. જેને લઈ શક થાય છે કે જે ટિકિટ જપ્ત કરવામાં આવી તે ખરેખર સોહરાબુદ્દીનના ખિસ્સામાં હતી? જ્યારે અન્ય મળેલી વસ્તુઓમાં લોહીના નિશાન મળ્યાં હતાં. બીજી બાજુ જજે સીબીઆઈ તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ટિકિટને લઈ સ્પષ્ટિકરણ નથી અપાયું કે આ પ્લાન કોણે કર્યો હતો. જજે સીબીઆઈને સરખી રીતે તપાસ ન કરવા બદલ ફટકાર લગાવી. અદાલત સીબીઆઈની ચાર્જશીટમાં હાજર કેટલીય ખામીઓને જોતા તેને એક વણઉકેલ્યું પઝલ ગણાવ્યું. જ્યારે સાક્ષીઓ ફરી જવા બાબતે સીબીઆઈએ કહ્યું કે તપાસમાં જો કોઈ કમી રહી ગઈ હોય તો પણ આ આધાર પર આરોપીને છોડી મૂકવાનો લાભ ન આપી શકાય. આ મામલાની સુનાવણી મંગળવારી પણ યથાવત રહેશે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
