રેલવે ભ્રષ્ટાચાર મામલો: CBI એ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ખોલી ફાઇલ, તેજસ્વીના નામનો પણ ઉલ્લેખ
લાલુ પ્રસાદ યાદવ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપમાં કેસ ફર ખોલીને તપાસ કવરામાં આવશે. સીબીઆઇ રેલવે મંત્રી દરમિયાન આપવામાં આવલે કોન્ટ્રાક્ટને લિને ભ્રષ્ટાચાર થયા હતા. તેને લઇને ફાઇલ ફરી ખોલવામાં આવી છે.
કેન્દ્રીય ઇન્વેસ્ટીગેશ બ્યુરો CBI એ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલાની તપાસ હાથ ધરી છે. જેના લીધે બિહારના રાજકારણાં ભર શિયાળે ગરમાહટ આવી ગઇ છે. હાલમાં જ નીતિશ કુમાર બીજેપીથી અલગ થઇ ગયા હતા. ત્યાર બાદ તેમણે આરજીડી અને કોગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. એવામાં મહાગઠબંધનના લીધે નેતાઓ તેને બદલાની રાજીનીતિથી કહી રહ્યા છે જ્યારે ભાજપે તેને તપાસનો ભાગ ગણાવ્યો છે.
યૂપીએની પહેલી સરકારમાં આરજેડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એવામાં લાલુ પ્રસાદ યાદવને રેલ મંત્રાલય આપવામાં આવ્યુ હતુ. ત્યાર તેમના પર રેલવેના પ્રોજેક્ટ્સના અલોટમેન્ટના આરોપ લાગ્યા છે. આ કેસની તપાસ 2018 માં સીબીઆઇએ શરુ કરી હતી. જો કે, મે 2021 માં આ કેસની તપાસ બંધ કરવામાં આવી હતી. સીબીઆઇ સૂત્રો અનુસાર આરોપોમાથી કોઇ મામલો નથી બનાવામાં આવ્યો. લાલૂ યાદવ સિવાય આ કેસમાં તેના દિકરા તેજસ્વી યાદવ, દિકરી ચંદા યાદવ અે રાગિની યાદવના નામનો પણ સમાવેશ થાય છે.
આ કેસમાં લાલુ અને તેમના પરીવાર પર આરોપ છે કે, તેમની દક્ષિણી દિલ્હીમં એક પ્રોર્પટી મળી આવી છે. જે ડીએલએફ ગૃપ તરફથી આપવામાં આવી હતી. આવી જ એક મુંબઇ બાંદ્રામાં પણ રેલ લેન્ડ કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ અને નવી દિલ્હી રેલવે સ્ટેશના વિકાસના કામમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાનાો આરોપ છે. આ સંપતિને ડીએલએફ તરફથી ફંડ કરવામા આવેલ કંપની માર્કેટ રેડથી કરતા ઘણી ઓછી કિમતે ખરીદવામા આવી હતી. તેજસ્વી પર આરોપ છે કે, તેણે આ શેલ કંપનીને ખરીદી હતી.