PMO પાસે હિન્ડાલ્કોને કોલસા બ્લોક્સ ફાળવણીની ફાઇલો માંગતી CBI

સીબીઆઇએ મંગળવારે સીલબંધ કવરમાં કોલસાકાંડમાંની તપાસની પ્રગતિનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપરત કર્યો હતો. સીબીઆઇએ હાલમાં જ માજી કોલસા સચિવ પી સી પારેખ અને ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા સામે નોંધેલા એફઆઇઆરની વિગતો પણ આ અહેવાલમાં સમાવી હોવાનું માનવામાં આવે છે.
સીબીઆઇનાં વર્તુળોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટ બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં એજન્સીએ સુપ્રીમ કોર્ટને આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને કોલસા ખાતાના ભૂતપૂર્વ સચિવ પી સી પારેખ સામે નોંધવામાં આવેલા છેલ્લામાં છેલ્લા કેસ અંગે જણાવ્યું હતું.
પીએમઓ દ્વારા હિન્દાલ્કોને તલબીરા કોલસા બ્લોકને ફાળવવા માટેના નિર્ણયને યોગ્ય લેખાવવામાં આવ્યો હતો. દરમિયાન સીબીઆઇના નિર્ણય અંગે પ્રત્યાઘાત આપતાં પીએમઓના રાજ્ય પ્રધાન વી. નારાયણસામીએ જણાવ્યું હતું કે અમારે આમાં કંઇ જ છુપાવવાનું નથી અને એજન્સીને આ સંબંધમાં હજારો દસ્તાવેજો આપવામાં આવ્યા છે. સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એફઆઇઆરમાં ઉલ્લેખ થયો છે એ કેસનાં તમામ પાસાંની તે તપાસ કરશે અને એ બાદ જ ભાવિ પગલાં અંગેનો નિર્ણય લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
