હવે સત્યપાલ મલિકને CBI નું તેડુ, કોંગ્રેસે કહ્યું- આ તો થવાનું જ હતું

પુલવામાં હુમલાને લઈને બીજેપી સરકારની પોલ ખોલનારા સત્યપાલ મલિકને હવે સીબીઆઈનું તેડુ આવ્યુ છે. ક્યારેક સમાજવાદી પાર્ટીના નેતા રહેલા સત્યપાલ મલિકને સીબીઆઈએ સમન મોકલીને તપાસ માટે બોલાવ્યા છે.

હાલમાં જ સત્યપાલ મલિકે પુલવામા આતંકી હુમલામાં પીએમ મોદીની ભુમિકા પર ગંભીર સવાલો કર્યા હતા ત્યારે હવે વિમા સાથે જોડાયેલા એક કેસમાં 300 કરોડની લાંચ મુદ્દે સત્યપાલ મલિકે આપેલા નિવેદન મુદ્દે સીબીઆઈએ તેમને સમન મોકલ્યુ છે. બીજી તરફ આ મુદ્દે કોંગ્રેસ આક્રમક તેવરમાં જોવા મળી રહી છે.

CBI

રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સંબંધિત કથિત વીમા કૌભાંડ અંગે જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે એક નિવેદનમાં કહ્યું કે, 27 કે 28 એપ્રિલના રોજ તેમને સીબીઆઈની દિલ્હી ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી કથિત વીમા કૌભાંડ અંગે સ્પષ્ટતા કરાઈ શકે.

સત્યપાલ મલિકને સીબીઆઈના સમન મુદ્દે કોંગ્રેસે આક્રમક અંદાજમાં કહ્યું કે, આખરે પીએમ મોદીને રહી ન શક્યા, સત્યપાલ મલિકજીએ દેશ સામે તેમના કાંડને ખુલ્લા પાડ્યા. હવે સીબીઆઈએ મલિકજીને બોલાવ્યા છે.

કોંગ્રેસે સરકાર પર દમનનો આરોપ લગાવતા કહ્યું, આ તો થવાનું જ હતું. કોંગ્રેસ પક્ષે કટાક્ષ કરતાં કહ્યું કે, એક બીજી વાત... ગોડી મીડિયા હજુ પણ મૌન રહેશે, લખી રાખજો.

અહીં તમને જણાવી દઈએ કે, આ કથિત વીમા કૌભાંડ કેસમાં ભાજપના પૂર્વ મહાસચિવ રામ માધવે પણ સત્યપાલ માનહાનિની ​​નોટિસ મોકલી છે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે, તેમને સીધા 300 કરોડની ઓફર કરાઈ નહોતી પરંતું તેમને આ વિશે ખબર પડી હતી.

અહીં પણ તમને જણાવી દઈએ કે, બિહારના પૂર્વ રાજ્યપાલ રહ્યા બાદ મલિકને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન કલમ 370 અને કલમ 35A ને રદ્દ કરાઈ હતી. મલિકે દાવો કર્યો છે કે, પીએમે તેમને પુલવામા કેસમાં ચૂપ રહેવા કહ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X