CBSE બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી
CBSE બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી
નવી દિલ્હીઃ દેશણા કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અન 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાનો ફેસલો લીધો છે. આ પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇ વચ્ચે થનાર હતી. પરીક્ષાઓ રદ્દ કરવાને લઇ કેટલાક અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર સીબીએસઇએ આજે પોતાનો ફેસલો સંભળાવવાનો હતો. સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા રદ્દ થવાની જાણકારી આપી છે.

કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતા સીબીઆઇનો પક્ષ રાખી રહ્યા છે. અગાઉના મામલામાં 23 જૂને થનાર સુનાવણી ટાળી દવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હવે સુપ્રીમ કોર્ટ આંતરિક મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓને પાસ કરશે. ધોરણ 12માં બિઝનેસ સ્ટડીઝ, જિયોગ્રાફી, હિન્દી (કોર), હિન્દી (ઇલેક્ટિવ), હોમ સાયન્સ, સોશિયોલોજી, કોમ્પ્યુટર સાયન્સ (ઓલ્ડ), કોમ્પ્યુટર સાયન્સ (ન્યૂ), ઇનફોર્મેશન પ્રેક્ટિસ (ઓલ્ડ), ઇન્ફોર્મેશન પ્રેક્ટિસ (ન્યૂ), ઇન્ફોર્મશન ટેક્નોલોજી અન બાયો ટેક્નોલોજીની પરીક્ષાઓ હજી સુધી નથી થઇ શકી.
આની સાથે જ કોર્ટમાં તુષાર મેહતાએ કહ્યું કે આઈસીએસઇ બોર્ડે પણ 10મા અને 12માની પરીક્ષા રદ્દ કરવાનો ફેસલો લીધો છે. આઈસીએસઇએ વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષાનો વિકલ્પ આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે બોર્ડના આ ફેસલાની અશર ન્જીનિયરિંગ અને મેડિકલની પ્રવેશ પરીક્ષાઓ પર પણ પડે તે નક્કી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET 2020), જેઇઇ મેન (JEE 2020) અને નીટ (NEET 2020)ની પરીક્ષા પણ સ્થગિત થઇ શક છે.
આ તમામ પરીક્ષાનું આયોજન પણ જુલાઇમાં જ થશે. એવામાં જો સીબીએસઇની પરીક્ષા રદ્દ કરવામાં આવે છે તો આ પરીક્ષઓની તારીખ ટળવી પણ નક્કી છે. એવું એટલા માટે કેમ કે દશભરમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સીટીઈટી, જેઇઇ મેન્સ અન નીટ જેવી પ્રવેશ પરીક્ષામાં બેસે છે. તેનું આયોજન દેશના વિવિધ ભાગમાં પરીક્ષા કન્દ્રોમાં થાય છે. એવામાં વિવિધ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને વાયરસના લપેટામાં આવતાં રોકવા કોઇ પડકારથી કમ નહિ હોય. આની સાથે જ 23 ઓગસ્ટે પ્રસ્તાવિત જેઇઇ એડવાન્સ પરીક્ષાને લઇન પણ કેટલાક બદલાવ થઇ શકે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
