વાતચીતથી ન માન્યુ ચીન તો LAC પર થશે એક્શનઃ CDS જનરલ રાવત

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)એ લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ચીન સાથે ટકરાવ પર મોટુ નિવેદન આપ્યુ છે.

નવી દિલ્લીઃ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)એ લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ચીન સાથે ટકરાવ પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે જો લદ્દાખમાં ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) સાથે તણાવ ઘટતો નહિ દેખાય તો પછી મિલિટ્રી એક્શન સંભવ છે. પરંતુ જો બંને દેશો વચ્ચે જારી સેના અને રાજનાયિક વાતચીત નિષ્ફળ રહી ત્યારે આ વિકલ્પને આગળ વધારવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાંચ મેથી પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ટકરાવની સ્થિતિ છે અને બંને દેશોની સેનાઓ સામ-સામે છે.

general rawat

જો ચીનની સેના ન માની તો ફરીથી થશે એક્શન

જનરલ રાવતે કહ્યુ, 'એલએસી પર અતિક્રમણ આના પર બનેલ અલગ અલગ દ્રષ્ટિકોણના કારણે છે. સંરક્ષણ સેવાઓને જવાબદારી આપવામાં આવી છે કે તે આના પર નજર રાખે અને અતિક્રમણને ઘૂસણખોરીમાં બદલવાથી રોકવા માટે સર્વિલાંસને અંજામ આપતી રહે. અત્યાર સુધી સરકાર તરફથી એ કોશિશ કરવામાં આવી રહી છે કે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ગતિવિધિ અને ઘૂસણખોરીને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો એલએસી પર યથાસ્થિતિ ચાલુ કરવામાં સફળતા ન મળી તો પછી મિલિટ્રી એક્શન માટે તૈયાર રહેવુ જોઈએ. '

તેમણે આગળ કહ્યુ, 'સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને સંરક્ષણ સુરક્ષા માટે જવાબદાર લોકો તમામ વિકલ્પો પર નજર દોડાવી રહ્યા છે જેથી પીએલએ લદ્દાથમાં યથાસ્થિતિને ચાલુ કરી દે.' સીડીએસ રાવત વર્ષ 2017માં 73 દિવસ સુધી ચાલેલ ડોકલામ વિવાદ સમયે સેના પ્રમુખ હતા. તેમણે એ વાતનો પણ ઈનકાર કરી દીધો છે કે દેશની સુરક્ષા માટે જવાબદાર એજન્સીઓ વચ્ચે કોઈ પ્રકારના તાલમેલની કોઈ કમી છે. તેમણે કહ્યુ કે ઉત્તર અને પશ્ચિમી સીમા પર ભારતની સીમા રેખા ખૂબ વિશાળ છે અને આ દરમિયાન હિંદ મહાસાગરનુ ક્ષેત્ર પણ છે અને બધાને બરાબર નિરીક્ષણની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X