પાક.ના ગોળીબારમાં BSFના 1 જવાન શહીદ, 2નું મૃત્યુ
શુક્રવારે પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા, સાંબા, હીરાનગર અને આરએસપુરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી સાંબા સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
શુક્રવારે પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા, સાંબા, હીરાનગર અને આરએસપુરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી સાંબા સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બીએસએફની 173 બટાલિયનના જવાન હેડ કોન્સ્ટેબલ જગપાલ સિંહ શહીદ થયા છે, સાથે જ બે ભારતીય નાગરિકોનું મૃત્યુ થયું છે અને 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એમાં 4 આરએસપુરા, 2 સાંબા અને 5 લોકો હીરાનગર સેક્ટરમાં ઘાયલ થયા છે. બીએસએફ દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે ગોળીબારમાં ઘાયલ લોકોની મુલાકાત લીધી હતી અને એ પછી તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન હંમેશાથી આવું કરતું આવ્યું છે અને આ વખતે તેને એવો જવાબ આપવામાં આવશે, જેવો તેમણે પહેલા ક્યારેય નહીં જોયો હોય. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારને કારણે સીમા પાસે આવેલ ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે પણ પાકિસ્તાને આરએસપુરા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફના એક જવાન હેડ કોન્સ્ટેબલ એ.સુરેશ શહીદ થયા હતા. બીએસએફના ડીજી કેકે શર્માએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનને અમે પણ સામો જવાબ આપ્યો હતો અને એમાં હંમેશા પાકિસ્તાને ઘણું નુકસાન વેઠવું પડે છે.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
