નવી દિલ્હીઃ ભારતે 74મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી માટે કમર કસીલીધી છે. કોવિડ 19ના ખતરાને ધ્યાનમાં રાખી ઉજવણી સિમિત રાખવામાં આવી છે. બધાની નજર 15 ઓગસ્ટે સવારે લાલ કિલ્લા પર ટકી છે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે. લગભગ 4000 જેટલા લોકો આ સમારોહમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિવિધ દેશના રાજનૈતિક પ્રતિનિધિઓ અને મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરશે. સમારોહને ધ્યાનમાં રાખી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ વહેલી સવારે 7.30 વાગ્યે શરૂ થશે. લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેઓ પોતાના ભાષણની શરૂઆત કરશે.
Aug 15, 2020, 8:54 am IST
ભારતની સંપ્રભુતાનું સન્માન આપણા માટે સર્વોચ્ચ છે.આ સંકલ્પ માટે આપણા વીર જવાનો શુ કરી શકે છે,દેશ શુ કરી શકે છે એ લદ્દાખમા દૂનિયાએ જોયુ છે.:પીએમ
Aug 15, 2020, 8:54 am IST
LOCથી લઈને LAC સુધી દેશની સંપ્રભુતા પર જે કોઈએ આંખ ઉઠાવી છે,દેશે અને દેશની સેનાએ તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે.
Aug 15, 2020, 8:49 am IST
આ વર્ષ જમ્મુ કાશ્મીરમા શરણાર્થીઓના ગરિમાપૂર્ણ જીવનનું પણ વર્ષ છે.: પીએમ
Aug 15, 2020, 8:49 am IST
આ વર્ષ જમ્મુ કાશ્મીરમાં મહિલાઓ, દલિતોને મળેલા અધિકારનું વર્ષ છે.
Aug 15, 2020, 8:49 am IST
આ એક વર્ષ જમ્મુ કાશ્મીરની નવી વિકાસયાત્રાનું વર્ષ છે.
Aug 15, 2020, 8:41 am IST
આપણા દેશમાં વિવિધ જગ્યાએ વિકાસની તસવીર અલગ અલગ જોવા મળે છે, કેટલાંક ક્ષેત્રો બહુ આગળ છે, કેટલાક ક્ષેત્રો બહુ પાછળ છે, આ અસંતુલિત વિકાસ આત્મનિર્ભર ભારત સમક્ષ મોટો પડકાર છે- મોદી
Aug 15, 2020, 8:40 am IST
હાલ ભારતમાં કોરોનાની એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ વેક્સીન ટેસ્ટિંગના તબક્કામાં છે, વૈજ્ઞાનિકો પાસેથી જેવી જ લીલી ઝંડી મળસે, દેશની તૈયારીઓ આ વેક્સીનના મોટા પાયે પ્રોડક્શન પર પણ છે- મોદી
Aug 15, 2020, 8:39 am IST
તમારા દરેક ટેસ્ટ, દરેક બીમારી, તમને કયા ડોક્ટરે કઈ દવા આપી, તમારો રિપોર્ટ્સ શું હતો, આ બધી જાણકારી આ એક હેલ્થ આઈડીમાં જોઈ શકાશે- મોદી
Aug 15, 2020, 8:38 am IST
આજથી દેશમાં વધુ એક મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, આ છે નેશનલ ડિજિટલ હેલ્શ મિશન, જે ભારતના હેલ્થ સેક્ટરમાં ક્રાંતિ લાવશે- મોદી
Aug 15, 2020, 8:37 am IST
કોરોના જ્યારે શરૂ થયો ત્યારે આપણા દેશમાં કોરોના ટેસ્ટિંગ માટે માત્ર એક લેબ હતી, હવે દશમાં 1400થી વધુ લેબ છે- મોદી
Aug 15, 2020, 8:37 am IST
દેશના જે 40 કરોડ જનધન ખાતા ખુલ્યાં છે, તેનાથી લગભગ 22 કરોડ ખાતા મહિલાઓના છે, કોરોનાના સમયે એપ્રિલ, મે, જૂન આ ત્રણ મહિનામાં મહિલાઓના ખાતામાં 30 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાછે- મોદી
Aug 15, 2020, 8:33 am IST
મારા દેશવાસીઓ આપણો અનુભવ કહે છે કે આપણને જ્યારે પણ અવસર મળ્યો, દેશ વાસીઓએ નામ રોશન કર્યું છે, દેશને મજબૂતી આપી છે- મોદી
Aug 15, 2020, 8:33 am IST
દેશમાં નવી રાષ્ટ્રીય સાઈબર સુરક્ષા રણનીતિનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છેઃ મોદી
Aug 15, 2020, 8:33 am IST
આ સંદર્ભમાં ભારત સચેત છે, સતર્ક છે અને આ ખતરાનો સામનો કરવા માટે ફેસલો લઈ રહ્યો છે અને નવી નવી વ્યવસ્થા પણ સતત વિકસિત કરી રહ્યો છે- મોદી
Aug 15, 2020, 8:31 am IST
આગામી હજાર દિવસમાં આ લક્ષ્યને પૂરો કરી લેવામાં આવશે, આગામી 1000 દિવસમાં દરેક ગામને ઑપ્ટિકલ ફાઈબરથી જોડવામાં આવશે- પીએમ મોદી
Aug 15, 2020, 8:30 am IST
વર્ષ 2014થી પહેલા દેશે માત્ર 5 ડઝન પંચાયતોનો ઑપ્ટિકલ ફાઈબરથી જોડી હતી, ગત પાંચ વર્ષમાં દેશમાં દોઢ લાખ ગ્રામ પંચાયતોને ઑપ્ટિકલ ફાઈબરથી જોડવામાં આવી છે- મોદી
Aug 15, 2020, 8:30 am IST
કોરોનાના સમયમાં આપણે જોયું કે ડિજિટલ ભારત અભિયાનની શું ભૂમિકા રહી, હજી પાછલા મહિને જ 3 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન માટે ભીમ એપથી થયું- મોદી
Aug 15, 2020, 8:30 am IST
આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આધુનિક ભારતના નિર્માણમાં, નવા ભારતના નિર્માણમાં સમૃદ્ધિ અને ખુશહાલ ભારતના નિર્માણમાં દેશની શિક્ષાનું બહુ મોટું મહત્વ છે, આ સોચન સાથે જ દેશને એખ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ મળી છે- મોદી
Aug 15, 2020, 8:30 am IST
એક સામાન્ય ભારતીયની શક્તિ, તેની ઉર્જા, આત્મનિર્ભર ભારત અભિયાનનો મોટો આધાર છે, આ તાકાતને બનાવી રાખવા માટે દરેક સ્તરે નિરંતર કામ થતું રહે છે
Aug 15, 2020, 8:29 am IST
હજી પાછલા વર્ષે જ હજારો અધૂરા ઘરો પૂરા કરી લેવા માટે 25 હજાર કરોડના ફંડની સ્થાપના થઈ છે- મોદી
Aug 15, 2020, 8:26 am IST
આ પણ પહેલીવાર થયું જ્યારે આપણા ઘરની હોમ લોનના હફ્તાની ચૂકવણીની અવધિ દરમિયાન 6 લાખ રૂપિયા સુધીની છૂટ મળી રહી છેઃ મોદી
Aug 15, 2020, 8:25 am IST
મધ્યમ વર્ગથી નીકળેલા પ્રોફેશનલ્સ ભારત જ નહિ આખી દુનિયામાં પોતાની ધાક જમાવે છે, મધ્યમ વર્ગને અવસર જોઈએ, મધ્ય વર્ગને સરકારી દખલઅંદાજીથી મુક્તિ જોઈએ- મોદી
Aug 15, 2020, 8:24 am IST
ગયા વર્ષે આ લાલ કિલ્લા પરથી જ મેં જળ જીવન મિશનનું એલાન કર્યું હતું, આજે આ મિશન અંતર્ગત હવે દરરોજ એક લાખથી વધુ ઘરોને પાણીના કનેક્શનથી જોડવામાં સફળતા મળી રહી છેઃ મોદી
Aug 15, 2020, 8:23 am IST
દેશના ખેડૂતોને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે થોડા દિવસો પહેલા જ એક લાખ કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ બનાવવામાં આવ્યું છેઃ પીએમ મોદી
Aug 15, 2020, 8:22 am IST
મારા પ્રિય દેશવાસીઓ, આત્મનિર્ભર ભારતની એક મહત્વની પ્રાથમિકતા છે, આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર કિસાનઃ મોદી
Aug 15, 2020, 8:22 am IST
વિકાસના મામલે દેશના કેટલાય ક્ષેત્રો પણ પાછળ રહી ગયાં છે, એવામાં 110થી વધુ આકાંક્ષી જિલ્લાને પસંદ કરી ત્યાં વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેથી ત્યાંના લોકોને સારું શિક્ષણ મળે, સારી સ્વાસ્થ્ય સુવિધા મળે, રોજગારના સારા અવસર મળેઃ મોદી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુભકામનાઓ આપી.
7:50 AM, 15 Aug
તિરંગો ફરકાવ્યા બાદ દેશને સંબોધિત કરી રહ્યા છે પીએમ મોદી
7:54 AM, 15 Aug
વિસ્તારવાદની માનસિકતાએ માત્ર કેટલાક દેશોને ગુલામ બનાવીને જ નથી છોડ્યા, વાત ત્યાં જ ખતમ નથી થી, ભીષણ યુદ્ધો અને ભયાનકતા વચ્ચે પણ ભારતે આઝાદીની જંગમાં કમી અને નમી ના આવવા દીધીઃ પીએમ મોદી
7:54 AM, 15 Aug
કોરોનાના આ અસાધારણ સમયમાં સેવા પરમો ધર્મની ભાવના સાથે પોતાના જીવનની પરવા કર્યા વિના ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મી, સફાઈ કર્મચારી, પોલીસકર્મી, સેવાકર્મી, અનેક લોકો ચોવિસ કલાક સતત કામ કરી રહ્યા છેઃ પીએમ મોદી
We're going through distinct times. I can't see young children in front of me today (at Red Fort). Corona has stopped everyone. In these times of COVID, Corona warriors have lived the mantra of 'Seva Parmo Dharma' and served the people of India. I express my gratitude to them: PM pic.twitter.com/X3HO2qu6n3
આગલા વર્ષે આપણે આપણા આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરશું, આપણી સામે એક મોટો પર્વ છેઃ પીએમ નરેન્દ્ર મોદી
8:05 AM, 15 Aug
એક સમય હતો જ્યારે આપણી કૃષિ વ્યવસ્થા બહુ પાછળ રહી ગઈ હતી,ત્યારે સૌથી મોટી ચિંતા હતી દેશવાસીઓના પેટ કેવી રીતે ભરશું, આજે જ્યારે આપણે માત્ર ભારતના જ નહિ, દુનિયાના કેટલાય દેશોના પેટ ભરી શકીએ છીએ- પીએમ મોદી
8:07 AM, 15 Aug
આત્મનિર્ભર ભારતોન મતલબ માત્ર આવક ઘટાડવી જ નથી થતો, આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી આપણી સ્કિલ્સને વધારવી પણ થાય છેઃ પીએમ મોદી
8:09 AM, 15 Aug
માત્ર અમુક મહિનાઓ પહેલા સુધી એન-95 માસ્ક, પીપીઈ કિટ, વેન્ટિલેટર આ બધું આપણે વિદેશોથી મંગાવતા હતા, આજે આ બધામાં ભારત પોતાની જરૂરતોને ખુદ પૂરી કરી રહ્યો છે, સાથે જ અન્ય દેશોની મદદ માટે પણ આગળ આવ્યો છેઃ પીએમ મોદી
8:09 AM, 15 Aug
કોણ વિચારી શકતું હતું કે ક્યારેક દેશમાં ગરીબોના જનધન ખાતામાં હજારો લાખો કરોડો રૂપિયા સીધા ટ્રાનસફર થઈ શકશેઃ પીએમ મોદી
8:10 AM, 15 Aug
કોણ વિચારી શકતું હતું કે ખેડૂતોની ભલાઈ માટે APMC એક્ટમાં આટલા બધા બદલાવ થઈ જશેઃ મોદી
8:11 AM, 15 Aug
આ શક્તિને, આ રિફોર્મ્સ અને તેનાથી નીકળેલા પરિણામોને દુનિયા જોઈ રહી છે, ગત વર્ષ ભારતમાં FDIએ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યાઃ પીએમ મોદી
8:12 AM, 15 Aug
આજે દુનિયાની ઘણી મોટી કંપનીઓએ ભારત તરફ રૂખ અપનાવ્યો છે, આપણે Make In India ની સાથોસાથ Make In World ના મંત્ર સાથે આગળ વધવાનું છેઃ મોદી
8:13 AM, 15 Aug
આધુનિકતા તરફ ભારતને તેજ ગતિએ લાવવા માટે દેશના Overall Infrastructure Development ને એક નવી દિશા આપવાની જરૂરત છેઃ મોદી
8:13 AM, 15 Aug
નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનથી આ જરૂરત પૂરી થશેઃ પીએમ નરેન્દ્ર મોદી
8:15 AM, 15 Aug
જેના પર દેશ 100 લાખ કરોડથી વધુ ખર્ચ કરવાની દિશા તરફ આગળ વધી રહ્યો છેઃ પીએમ મોદી
8:15 AM, 15 Aug
વિવિધ સેક્ટર્સના લગભગ 7 હજાર પ્રોજેક્ટ identify પણ કરી લેવામાં આવ્યા છેઃ મોદી
8:16 AM, 15 Aug
એક રીતે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવી ક્રાંતિ જેવું હશેઃ મોદી
8:17 AM, 15 Aug
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવામાં આવ્યું છે- સામર્થ્યમૂળ સ્વાતંત્ર્યં, શ્રમમૂલં ચ વૈભવમ. કોઈ સમાજ, કોઈ પણ રાષ્ટ્રની આઝાદીનો સ્રોત તેનું સામર્થ્ય હોય ચે અને તેના વૈભવનો, તેની પ્રગતિનો સ્રોત તેની શ્રમ શક્તિ હોય છેઃ મોદી
8:17 AM, 15 Aug
આપણા નાગરિકો પછી શહેરમાં રહેતા હોય કે ગામડામાંા તેમની મહેનત, તેમના પરિશ્રમનો કોઈ મુકાબલો નથીઃ મોદી
8:18 AM, 15 Aug
7 કરોડ ગરીબ પરિવારોને મફત ગેસ સિલિન્ડર આપવમાં આવ્યા, રાશનકાર્ડ હોય કે ના હોય, 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની વ્યવસ્થા કરવામાં આવી, બેંક ખાતામાં 90 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાઃ પીએમ મોદી
8:19 AM, 15 Aug
થોડા વર્ષો પહેલાં આવી કોઈ કલ્પના પણ નહોતી કરી શકાતી કે આટલું બધું કામ, કોઈપણ લિકેજ વિના થઈ જશે, ગરીબોને હાથમાં સીધા પૈસા પહોંચી જશેઃ પીએમ મોદી
8:20 AM, 15 Aug
આપણા આ સાથીઓને આપણા ગામમાં જ રોજગાર આપવા માટે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન પણ શરૂ કરી દેવામાં આવશેઃ પીએમ મોદી
READ MORE
આમંત્રિત બધા જ મહેમાનો માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. સ્ટેજ પર માસ્ક વિતરણ પણ કરવામાં આવશે, સેનિટાઈઝર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કહી દીધું કે કોવિડ 19ની સ્થિતિને કાબૂમાં લેવા માટે માત્ર આમંત્રિત લોકોએ જ કાર્યક્રમમાં હાજરી આપવા આવવું. જે લોકોને આમંત્રણ નથી તેઓ ઘરે જ રહી આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. તો તમને પણ જો આમંત્રણ ના મળ્યું હોય તો પળેપળની તાજા અપડેટથી અવગત થવા માટે વન ઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.