independence day of india live: ભારતમાં આજે 74મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી
independence day of india live: ભારતમાં આજે 74મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી
નવી દિલ્હીઃ ભારતે 74મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી માટે કમર કસીલીધી છે. કોવિડ 19ના ખતરાને ધ્યાનમાં રાખી ઉજવણી સિમિત રાખવામાં આવી છે. બધાની નજર 15 ઓગસ્ટે સવારે લાલ કિલ્લા પર ટકી છે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે. લગભગ 4000 જેટલા લોકો આ સમારોહમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિવિધ દેશના રાજનૈતિક પ્રતિનિધિઓ અને મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરશે. સમારોહને ધ્યાનમાં રાખી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ વહેલી સવારે 7.30 વાગ્યે શરૂ થશે. લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેઓ પોતાના ભાષણની શરૂઆત કરશે.
આમંત્રિત બધા જ મહેમાનો માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. સ્ટેજ પર માસ્ક વિતરણ પણ કરવામાં આવશે, સેનિટાઈઝર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કહી દીધું કે કોવિડ 19ની સ્થિતિને કાબૂમાં લેવા માટે માત્ર આમંત્રિત લોકોએ જ કાર્યક્રમમાં હાજરી આપવા આવવું. જે લોકોને આમંત્રણ નથી તેઓ ઘરે જ રહી આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. તો તમને પણ જો આમંત્રણ ના મળ્યું હોય તો પળેપળની તાજા અપડેટથી અવગત થવા માટે વન ઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.