ખેડૂતો સામે ઘુંટણીયે સરકાર, ખાતરોના ભાવ નહીં વધારવાનો કેન્દ્રનો નિર્ણય
ખેેડૂત વિરોધી સરકાર હોવાના આરોપ સહન કરી રહેલી બીજેપીની કેન્દ્ર સરકાર હવે ખેડૂતોની નારાજગી ઉઠાવવા માંગતી નથી. છેલ્લા કેટલાક સમયથી ખાતરોના વધી રહેલા ભાવથી ખેડૂતો નારાજ છે ત્યારે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે.
કેન્દ્રની બીજેપી સરકારે કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે. આ મુદ્દે વાત કરતા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, કેબિનેટે નક્કી કર્યુ છે કે આ વર્ષે ખારતના ભાવ નહીં વધારાય.

સમાચારો અનુસાર, કેબિનેટે ખરીફ સિઝન માટે 1.08 લાખ કરોડની ખાતર સબસિડીને મંજૂરી આપી છે. સરકાર યુરિયા માટે 70 હજાર કરોડ અને ડાય-એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી માટે 38 હજાર કરોડ રૂપિયા ખર્ચશે.
મનસુખ માંડવિયાએ આગળ જણાવ્યુ કે, ખેડૂતોને સમયસર ખાતર મળે અને આંતરરાષ્ટ્રિય બજારમાં ખાતરના ભાવમાં તફાવતને કારણે બોજ સહન ન કરવો પડે તે સરકાર માટે જરૂરી છે. ગયા વર્ષે સરકારના બજેટમાં ખાતર સબસિડી માટે 2.56 લાખ કરોડનો ખર્ચ કરાયો હતો.
મનસુખ માંડવિયાએ આગળ કહ્યું કે, દેશમાં 325 થી 350 લાખ મેટ્રિક ટન યુરિયા વપરાય છે. 100 થી 125 લાખ મેટ્રિક ટન ડીએપી અને એનપીકેનો ઉપયોગ થાય છે. 50-60 લાખ મેટ્રિક ટન MOP વપરાય છે. ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે સરકારે સબસિડી વધારી છે અને કિંમતોમાં વધારો કર્યો નથી. હવે સરકારે નિર્ણય કર્યો છે કે ખાતરની કિંમતમાં વધારો નહીં વધારાય.
અહીં તમને જણાવી દઈએ કે, બીજેપીની સરકાર બન્યા બાદ ખાતરોના ભાવમાં મોટા વધારા કરાયા છે. ખેડૂત આંદોલન અને ભાવ વધારાથી નારાજ ખેડૂતોને મનાવવા માટે બીજેપી સરકાર આ પગલા ભરી રહી છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
