Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Union Budget 2023 : કેન્દ્રીય નાણાં નિર્મલા સિતારમણે આપ્યો બજેટનો સાર, જાણો શું કહ્યું?

Union Budget 2023 : લોકસભામાં સમાન્ય બજેટ 2023-24ની ચર્ચા દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, આ બજેટ નાણાકીય રાજકોષીય વિવેકની સીમાઓ વચ્ચે ભારતના વિકાસ અનિવાર્યની આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે

Union Budget 2023 : લોકસભામાં સમાન્ય બજેટ 2023-24ની ચર્ચા દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સિતારમણ દ્વારા બજેટની વિશેષતાઓનો સાર આપવામાં આવ્યો હતો. બજેટ 2023-24 નો સાર આપતા કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ બજેટ નાણાકીય રાજકોષીય વિવેકની સીમાઓ વચ્ચે ભારતના વિકાસ અનિવાર્યની આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે. નાણાં મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર પર બોલવાનો કોંગ્રેસને કોઇ નૈતિક અધિકાર નથી.

આ બજેટ રાજકોષીય સમજદારીની મર્યાદામાં ભારતના વિકાસની આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

Nirmala sitharaman

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારો વિચાર્યા વગર પગલાં ભરે છે. તેમણે શપથ લીધા બાદ પેટ્રોલ અને ડીઝલ પર વેટ લગાવવા બદલ હિમાચલ પ્રદેશની નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગયા વર્ષનું બજેટ વાંચવા અંગે નિર્માલા સિતારમણે જણાવ્યું હતું કે, આવું કોઈની સાથે પણ થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ આવી ભૂલ કરી શકે છે, પરંતુ તે ન થવું જોઈએ. મનરેગા પર તેમણે જણાવ્યું હતું કે, 2019ના બજેટમાં 60 હજાર કરોડ રૂપિયા હતા. જે બાદના બજેટમાં તેમાં સતત વધારો કરવામાં આવ્યો હતો.

નિર્માલા સિતારમણે જણાવ્યું હતું કે, ગરીબી પર રાજનીતિ ન થવી જોઈએ. આ મામલે કોંગ્રેસ પોતે કાચના ઘરમાં છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે તે સમયે મનરેગા માટે જે રકમ બહાર પાડવામાં આવી હતી તે પણ ખર્ચ થઈ શકી ન હતી. વિપક્ષના લોકોનો આરોપ છે કે, અમે ગરીબોની વાત કરતા નથી. જ્યારે હું આંકડા આપીને વાત કરું છું, ત્યારે તેઓ હસતા હોય છે. શું આ યોગ્ય વાત છે?

GST વળતર લેણાં અંગે, નાણામંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળને 823 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું નથી. કારણ કે, રાજ્ય દ્વારા એજી રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો નથી. આ કારણોસર આ રકમ રાજ્યને આપી શકાય તેમ નથી.

છેલ્લા ઘણા સમયથી રાજ્ય દ્વારા આ રિપોર્ટ મોકલ્યો નથી. આથી વળતરની રકમ બહાર પાડી શકાતી નથી. નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, અમે રકમ છોડવા તૈયાર છીએ, પરંતુ રાજ્ય સરકારે પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X