Farmer Protest: કૃષિ મંત્રીએ ખેડૂત નેતાઓને વાતચીત માટે બોલાવ્યા, આજે બપોરે 3 વાગે બેઠક
કૃષિ કાયદા અને લઘુત્તમ ટેકાા મૂલ્યનના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને એક વાર ફરીથી કેન્દ્ર સરકારે વાતચીત માટે બોલાવ્યા છે.
નવી દિલ્લીઃ કૃષિ કાયદા અને લઘુત્તમ ટેકાા મૂલ્યનના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને એક વાર ફરીથી કેન્દ્ર સરકારે વાતચીત માટે બોલાવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત યુનિયન્સને આજે બપોરે 3 વાગે વાતચીતનુ આમંત્રણ આપ્યુ છે. દિલ્લી બૉર્ડર પર જમા થયેલા હજારો ખેડૂતોને તેમનુ આંદોલન ખતમ કરવાની માંગ કરી છે. ઠંડી અને કોરોના સંક્રમણને જોતા તેમણે ખેડૂતોને વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવાની આપીલ કરી છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યુ કે તેમણે ખેડૂત યુનિયન્સના નેતાઓને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગે વિજ્ઞાન ભવનમાં બેઠક માટે આમંત્રિત કર્યા છે. જે યુનિયનોએ પહેલા તબક્કાની વાતચીતમાં ભાગ લીધો હતો તેમને મંગળવારે વાતચીત માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે પહેલા એ નક્કી કરવામાં આવ્યુ હતુ કે 3 ડિસેમ્બરે ખેડૂત નેતાઓને આગલા રાઉન્ડની બેઠક માટે બોલાવવામાં આવશે પરંતુ ઠંડી અને કોરોના સંક્રમણની આશંકાઓને જોતા આ બેઠક પહેલા બોલાવવામાં આવી છે.
તેમણે કહ્યુ કે જે ખેડૂત સંગઠનોના નેતાઓએ પહેલા રાઉન્ડની બેઠકમાં ભાગ લીધો હતો તેમને બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા. બેઠક વિજ્ઞાન ભવનમાં બપોરે 3 વાગે બોલાવવામાં આવી છે. તેમણે કહ્યુ કે અમે આ પહેલા ખેડૂત નેતાઓ સાથે 14 ઓક્ટોબર અને 13 નવેમ્બરે વાતચીત કરી હતી. અમે તેમને અનુરોધ કર્યો હતો કે તે આંદોલન ન કરે. તેમને આશ્વાસન આપ્યુ હતુ કે સરકાર વાતચીત માટે દરેક સમયે તૈયાર છે. વળી, દિલ્લી બૉર્ડર પર ખેડૂત આંદોલન માટે અડગ છે.
MiG-29Kના કાટમાળમાંથી ખુલ્યા રાઝ, વિમાનમાંથી નીકળવામાં સફળ થયા હતા ગાયબ પાયલટ