SC verdict on Demonetisation: નોટબંધી પર સુપ્રિમ કોર્ટમાં સંવૈધાનિક પીઠે આપ્યો નિર્ણય, તમામ અરજી ફગાવી
સુપ્રિમ કોર્ટે નોટબંધીના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા તમામ અરજી ફગાવી દીધી હતી. સાથે નોટબધીને યોગ્ય ગણાવી છે. કેન્દ્ર સરકાર દ્નારા 2016 માં નોટબધી કરીને 1000 અને 500 ની નોટને બંધ કરી દેવામાં આવી હતી.
નોટબંધીના નિર્ણયને સુપ્રિમ કોર્ટની સંવિધાન બેચે યોગ્ય ઠેરવ્યો છે. નોટબંધીના વિરુદ્ધમાં સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલ પર સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બેચે સુનવણી હાથ ધરી હતી. સુપ્રિમ કોર્ટમાં તમામ પક્ષોને સાંભળ્યા બાદ આ મામલાને સુરક્ષીત રાખી દિધો હતો. આજે પાંચ જજોની બેચે આ મામલા પર પોતાનો ચુકાદો આપત નોટબંધીના નિર્ણયને સાચો ઠેરવ્યો હતો. સાથે જ કોર્ટે તમામ અરજીને ફગાવી દિધી છે. જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે વર્ષ 2016 માં નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 500 અને 1000 ની નોટોને બંધ કરી દેવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે, નોટબંધીના નિર્ણય પહેલા કેન્દ્ર સરકાર અને રિજર્વ બેન્ક વચ્ચે આનેલઇને કોઇ ચર્ચા થઇ હતી. કોર્ટે કહ્યુ કે, આ પ્રકારનો નિર્ણય લેવા માટે કેન્દ્ર અને આરબીઆઇએ યોગ્ય ચર્ચા કર હતી. અને અમારુ માનવુ છે કે, આ કેન્દ્રનો માનામની ભર્યો નિર્ણય નહોતો. ધ્યાન ખેંચનાર વાત એ છે કે, સુપ્રિમ કોર્ટમાં નોટબંધીના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમા કહેવામાં આવ્યુ હતુ કે, આ નિર્ણય ગેરકાયદેસર અને ગૈરકાનુની છે. પરંતુ કોર્ટે કેન્દ્રના નિર્ણયને યોગ્ય ઠેરવીને અરજી ફગાવી દીધી છે.












Click it and Unblock the Notifications
