કેન્દ્રએ પટણા વિસ્ફોટ પર રિપોર્ટ માંગ્યો, NIA ટીમ જશે
નવી દિલ્હી, 27 ઓક્ટોબર: ગૃહ મંત્રાલયે રવિવારે બિહારના પટણામાં દેશી બોમ્બ વિસ્ફોટ પર રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે અને આ કેસની આગળની તપાસમાં મદદ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ની ટીમ મોકલી રહી છે.
અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે પટણા રેલવે સ્ટેશન પર વિસ્ફોટ તથા વધુ બે દેશી બોમ્બ મળી આવવાથી ચિંતિત મંત્રાલયે રાજ્ય સરકારને બોમ્બના પ્રકાર, સંદિગ્ધ લોકો અને સંગઠનો તથા કાનૂન તથા વ્યવસ્થાની સ્થિતી વિશે રિપોર્ટ મોકલવાનું કહ્યું જે આ ઘટના માટે જવાબદાર હોય શકે છે.
તેમને કહ્યું હતું કે કેન્દ્રએ એનઆઇએ વિસ્ફોટક વિશેષજ્ઞોની એક ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે જે વિસ્ફોટ બાદ તપાસમાં બિહાર પોલીસની મદદ કરશે. પટણા રેલવે સ્ટેશન પર શૌચાલયમાં આજે એક બોમ્બ ફૂટવાથી 4 વ્યક્તિને ઇજા પહોંચી છે જ્યારે તે વિસ્તારમાં વધુ 6 બોમ્બ બ્લાસ્ટ થયા છે જે ગાંધી મેદાનથી થોડા અંતરે છે જ્યાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હુંકાર રેલી સંબોધિત કરશે.