સપા-બસપા બાદ ટીડીપી આપી શકે છે કોંગ્રેસને મોટો ઝટકો, ચંદ્રાબાબુનો આ છે પ્લાન
કોંગ્રેસને ગઠબંધનથી વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસને આ ઝટકો હવે ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી આપી શકે છે.
લોકસભા ચૂંટણી 2019 પહેલા સપા અને બસપાએ હાથ મિલાવી દીધા પરંતુ તેમણે આ મહાગઠબંધનથી કોંગ્રેસને અલગ રાખીને મોટો ઝટકો આપ્યો છે. વળી, સમાચાર છે કે કોંગ્રેસને ગઠબંધનથી વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસને આ ઝટકો હવે ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી આપી શકે છે. સૂત્રો મુજબ નાયડુ રાજ્યમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવાના મૂડમાં નથી. જો આમ થાય તો કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે નવી રણનીતિ બનાવવાની જરૂર પડી શકે છે.

પોતાના દમ પર લોકસભા ચૂંટણી લડવા ઈચ્છે છે ટીડીપી
ટીડીપીના એક વરિષ્ઠ નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યુ કે પક્ષ પોતાના દમ પર લોકસભા ચૂંટણી લડવા ઈચ્છે છે. પક્ષને લાગે છે કે આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ માટે નકારાત્મક માહોલ છે અને એવામાં પાર્ટી તેમની સાથે હાથ મિલાવવાનો ખતરો લેવા માંગતી નથી. તમને જણાવી દઈએ કે હાલમાં જ સંપન્ન થયેલ તેલંગાના વિધાનસભા ચૂંટણી દરમિયન કોંગ્રેસ-ટીડીપીએ હાથ મિલાવ્યો હતો અને કેસીઆરની પાર્ટીને પડકારવાની કોશિશ કરી હતી. પરંતુ ચૂંટણીમાં આ ગઠબંધનને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના મૂડમાં નથી ટીડીપી
આ હારથી શીખ લઈને ટીડીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનું ટાળી રહી છે. જો કે પાર્ટી તરફથી કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યુ. પરંતુ ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ આંધ્ર પ્રદેશમાં ટીડીપી લોકસભા ચૂંટણી માટે સીટો અંગે કોઈ વહેંચણી નહિ કરે.

સપા-બસપા બાદ ટીડીપી આપી શકે કોંગ્રેસને ઝટકો
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે યુપીમાં અખિલેશ-માયાવતી સાથે આવવા અને કોંગ્રેસને ગઠબંધનથી દૂર રાખવાના નિર્ણય બાદ ટીડપીએ પણ નક્કી કર્યુ છે કે કોંગ્રેસ સાથે તે લોકસભા ચૂંટણી નહિ લડે. જો ટીડીપી આ નિર્ણય લે તો ભાજપ સામે અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક દળો સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની કોંગ્રેસની આ રાજકીય ચાલ નિષ્ફળ થઈ શકે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
