હૂમલા બાદ ચંદ્રશેખરે બહાર પડેલ વીડિયોમાં કહ્યુ કે, 'શાંતિ બનાવી રાખો, હુ બિલકુલ ઠીક છુ'
ભીમ આર્મીના ચીફ તેમજ આઝાદ માજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ પર કાર સવાર બદમાશોએ બુધવારે સાંજે હુમલો ખર્યો હતો. તેમના પર કરવામાં આવેલ ચાર રાઉન્ડ ફાયરીંગમાં એક ગોળી તેમની પીઠને અડીને નીકળી ગઇ હતી. જેનાથી તે ઘાયલ થઇ ગયા હતા. જો કે, તાજા મળતી જાણકારી અનુસાર હવે તે ખતરાથી બહાર છે. તેની જાણકારી તેમણે વીડિયોના માધ્યમથી ખૂદ આપી હતી.

જણાવી દઇએ કે ચંદ્રશેખર આઝઆદ દેવબદની ગાધી કોલોની નિવાસી અધિવક્તા અજય કુમારને ત્યાં તેમની માતાની તેરવી પર શામિલ થવા માટે ગયા હતા. સાંજના અંદાજે પાચ વાગ્યે આઝાદ પોતાની ફોર્ચ્યુનર કારમાં સવાર થઇ ને દેવબંદમાં પરત સહારનપુર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જેવી કાર યૂનિયન તિરાહે નજીક પહોચ્યો તો ચીફ નંબર ની સ્વિફ્ટ ડિજાયર કારમાં એસવાર બદમાશોએ કારમાથી ગોળી વરસાવી હતી.
બદમાશોએ દ્વારા ચાર રાઉન્ડ ગોળી ફાયરિગ કરી જેમાથી એક ગોળી કાચ તોડીને ચંદ્રશેખર આઝાદની કમર પર લાગી હતી. આજાદ પર થેયલા જાનલવા હુમલાની સૂચનાથી ઘટના સ્થળે અફરાતરફ મચી ગઇ હતી. ચંદ્રશેખરની સાથે હાજર તેમના સાથી તેમને લઇને દેબબંદ સીએચસી પહોચ્યા હતા. તે સિવાય ભારે સંખ્યામાં ભીમ આર્મી કાર્યકર્તા પણ સીએચસી પહોચ્યા હતા. આક્રોશિત કાર્યકર્તા હુમાલાખોરોની ધરપકડની માગ કરી રહ્યા છે.
બીજી તરફ ગંભીરતાને જોતા એસપી દેહાત સમહિત અન્ય અધિકારી પણ સીએચસી પહોચ્યા હતા. હોસ્પિટલ બહાર લગાતાર ભીડ વધતી જઇ રહી હતી. અને ભીડ ઉગ્ર ના થાય તે માટે તેના માટે પ્રાથમિક ઉપચાર બાદ ચેંદ્રશેખર આઝાદે એક વીડિયો બહાર પાડીને પબ્લીકને શાંત બનાવી રાખવા માટે અપિલ કરી હતી. તેમણે વીડિયોમાં કહ્યુ કે, તમા સાથિઓને મારી અપીલ છે કે, શાંતિ બનાવી રાખો આપણે આપણી લડાઇ સંવિધાનિક રીતે લડીશુ.












Click it and Unblock the Notifications
