Chanraya 2 Live: મનોબળ ઘટ્યુ નથી, વધુ મજબૂત થયુ છેઃ પીએમ મોદી

ચંદ્રયાન 2 લેંડર 'વિક્રમે' રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગ તબક્કાને સફળતાપૂર્વક પૂરુ કરી લીધુ પરંતુ સોફ્ટ લેંડિંગ પહેલા તેનો ધરતી પરથી સંપર્ક તૂટી ગયો.

ચંદ્રયાન 2ના લેંડર વિક્રમનો ચંદ્ર પર ઉતરતી વખતે પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો. સંપર્ક ત્યારે તૂટ્યો જ્યારે લેંડર ચંદ્રની સપાટીની માત્ર 2.1 કિલોમીટર ઉંચાઈ પર હતુ. લેંડરને રાતે લગભગ એક વાગેને 38 મિનિટે ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી પરંતુ ચંદ્ર પર નીચેની તરફ આવતી વખતે 2.1 કિલોમીટરના અંતરે જમીન પરથી તેનો સંપર્ક તૂટી ગયો. વિક્રમે રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગ તબક્કાને સફળતાપૂર્વક પૂરુ કરી લીધુ પરંતુ સોફ્ટ લેંડિંગ પહેલા તેનો ધરતી પરથી સંપર્ક તૂટી ગયો. આ સાથે વૈજ્ઞાનિકો અને દેશના લોકોના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનુ પ્રોત્સાહન અને હિંમત વધાર્યા. તેમણે ઈસરોના કંટ્રોલ સેન્ટર પરથી દેશને સંબોધિત કર્યો.

pm modi

Sep 07, 2019, 1:17 pm IST

ચંદ્રયાન 2: લેંડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાનુ કારણ આ રીતે શોધશે ઈસરો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ચંદ્રયાન 2ના લેંડર 'વિક્રમ'નુ ચંદ્ર પર ઉતરતી વખતે સંપર્ક તૂટવા પાછળના કારણની તપાસ કરશે.
Sep 07, 2019, 12:08 pm IST

મહેશ શર્માએ કહ્યુ પીએમ મોદીએ જે રીતે વૈજ્ઞાનિકોનુ મનોબળ વધાર્યુ, તેમના સાથે મુશ્કેલ સમયમાં ખભે ખભા મિલાવીને દ્રઢતા સાથે ઉભા રહ્યા અને માર્ગદર્શન કર્યુ તે પોતાનામાં અનુકરણીય છે. તેમની પ્રેરણા આગળના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.
Sep 07, 2019, 11:56 am IST

કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ ઈસરોના વૈજ્ઞાનિકોનુ મનોબળ વધાર્યુ. તેમણે કહ્યુ કે આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ત્યાં પહોંચવાની કોશિશ કરી જ્યાં હજુ સુધી કોઈ પહોંચ્યુ નથી. ખૂબ જ નજીક પહોંચીને છેલ્લી ઘડીએ અડચણ આવી પરંતુ આ ઉપલબ્ધિ પણ બહુ મોટી છે અને હું ઈસરોના બધા વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવુ છુ અને આગળના મિશન માટે શુભકામના આપુ છુ.
Sep 07, 2019, 11:44 am IST

કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ ઈસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો. તેમણે કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોએ ચાંદની દક્ષિણ ધ્રુવ પર પહોંચવાની કોશિશ કરી જ્યાં હજુ સુધી કોઈ નથી પહોંચ્યું. બહુ નજીક પહોંચીને અંતિમ ક્ષણે રૂકાવટ આવી પરંતુ આ ઉપલબ્ધી પણ બહુ મોટી છે અને આમાં ઈસરોના તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપું છું અને આગળના મિશન માટે શુભકામના પાઠવું છું.
Sep 07, 2019, 2:22 am IST

પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોના વખાણ કર્યા અને તેમને હિમ્મત રાખવા માટે કહ્યું
Sep 07, 2019, 2:20 am IST

ચંદ્રના 2.1 કિલોમીટર ઉપરથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો
Sep 07, 2019, 2:17 am IST

વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો: ઈસરો
Sep 07, 2019, 2:15 am IST

ઈસરોનો લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો: સૂત્ર
Sep 07, 2019, 2:04 am IST

પીએમ મોદી ઈસરો સેન્ટરથી બહાર નીકળ્યા, વધારે જાણકારીની રાહ જોવાઈ રહી છે
Sep 07, 2019, 2:02 am IST

ઇસરો કંટ્રોલ રૂમમાં ભારે તણાવ, વૈજ્ઞાનિકો ડેટા ચકાસી રહ્યા છે
Sep 07, 2019, 1:50 am IST

વિક્રમ લેંડરે ચંદ્રની દક્ષિણ બાજુએ ઉતરાણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
Sep 07, 2019, 1:45 am IST

લેન્ડિંગ પહેલાની 15 મિનિટ સૌથી ખતરનાક, ISRO ચીફે જણાવ્યું કારણ

ઇસરોએ વિક્રમ લેન્ડર માટે એક સાઇટ પસંદ કરી
Sep 07, 2019, 1:40 am IST

બેંગલુરુમાં ઈસરોના હેડક્વાટરમાં હલચલ જોવા મળી રહી છે
Sep 07, 2019, 1:38 am IST

અહીં ચંદ્રયાન -2 જીવંત ઉતરાણ જુઓ
Sep 07, 2019, 1:37 am IST

સ્પેસ ક્વિઝમાં વિજેતા થયેલા 60 બાળકો ચંદ્રયાનના ચંદ્ર પર એતિહાસિક ઉતરાણ જોવા માટે પહોંચ્યા
Sep 07, 2019, 1:37 am IST

તમે ઇસરોની ઓફિશ્યિલ યુટ્યુબ ચેનલ પર ચંદ્રયાન -2 નું લાઇવ લેન્ડિંગ જોઈ શકો છો.
Sep 07, 2019, 12:59 am IST

વિક્રમ સવારે 1.53 વાગ્યે ચંદ્ર પર ઉતરશે: ઇસરો અધ્યક્ષ સિવાન
Sep 07, 2019, 12:06 am IST

ચંદ્રયાન -2 નું લાઇવ લેન્ડિંગ રાત્રે 1 વાગ્યાથી ડીડી નેશનલ ચેનલ પર લાઇવ ટેલિકાસ્ટ કરશે
Sep 06, 2019, 11:12 pm IST

ચંદ્રયાન 2 ઉતરાણની તૈયારીઓ પૂર્ણ, જુઓ ઇસરોના મોનિટરિંગ સેન્ટરની આકર્ષક તસવીરો
Sep 06, 2019, 11:12 pm IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાંથી લગભગ 70 વિદ્યાર્થીઓ સાથે બેસીને ચંદ્રયાનની ઉતરાણ નિહાળશે.
Sep 06, 2019, 11:09 pm IST

ચંદ્રયાન 2 મિશન માટે કામ કરનાર વૈજ્ઞાનિક નિર્ભયકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ચંદ્રયાન 2 માટે કામ કરવાનો અનુભવ ખૂબ સરસ હતો, સિનિયરો ખૂબ મદદરૂપ થાય છે. તે એક મહાન શીખવાનો અનુભવ હતો, અમે ખૂબ ઉત્સાહિત છીએ.
Sep 06, 2019, 11:08 pm IST

લેન્ડર વિક્રમે ત્રણથી ચાર કેમેરા અને સેન્સર સહિતની તમામ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે જે તેને કોઈ નુકસાન પહોંચાડશે નહીં.
Sep 06, 2019, 11:07 pm IST

પીએમ મોદી બપોરે 1 વાગ્યે ઇસરો સેન્ટર પહોંચશે, ચંદ્રયાન -2 નું ઉતરાણ જોશે
Sep 06, 2019, 12:57 pm IST

વિક્રમના ચંદ્ર પર સફળ ઉતરાણ સાથે ભારત વિશ્વનો ચોથો દેશ હશે. હજી સુધી ફક્ત રશિયા, અમેરિકા અને ચીન જ આવું કરવામાં સફળ થયા છે.
Sep 06, 2019, 12:57 pm IST

ચંદ્રયાન 2 નો હેતુ ચંદ્રની નજીકના ધ્રુવો પર પાણીના બરફ અને અન્ય જટિલ પદાર્થોનો અભ્યાસ કરવાનો છે. નેશનલ જિયોગ્રાફિક મુજબ, આ સંશોધન વૈજ્ઞાનિકોને ચંદ્ર અને સૌર સિસ્ટમ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
Sep 06, 2019, 12:57 pm IST

વિક્રમ 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે ચંદ્ર સપાટી પર પ્રવેશ કરશે. 1:30 થી 2:30 વાગ્યે, તે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X