Chandrayaan 4 : કેવુ હશે ભારતનું ચંદ્રયાન-4 મિશન? જાણો કેમ મહત્વનું માનવામાં આવી રહ્યું છે?
Chandrayaan 4 : ચંદ્રયાન-3 ને ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરાવીને દુનિયાને ચૌકાવ્યા બાદ ઈસરોએ ચંદ્રયાદ-4 ની જાહેરાત કરી દીધી છે.
કેન્દ્ર સરકારે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશન 36 મહિનામાં એટલે કે લગભગ 3 વર્ષમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકારે આ મિશન માટે 2104.06 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું છે.

ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે જરૂરી ટેક્નોલોજી વિકસાવવા અને પ્રદર્શિત કરવા સરકારે ચંદ્રયાન-4 ને મંજૂરી આપી છે. આ ચંદ્રયાન-3 ની સફળતા પર આધારિત હશે.
આ સાથે કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન અને ઇન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS)ની સ્થાપનાને પણ મંજૂરી આપી છે. આ બંને મિશનને વર્ષ 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે.
ચંદ્રયાન-4 મિશન ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર લેન્ડ કરવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે પાયાની તકનીકો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે.
ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો, નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે. આમાં ચંદ્રયાન-4 અવકાશયાન, બે LVM-3 રોકેટ અને નેટવર્ક અને ચંદ્રયાન-4 સાથે સતત સંચાર જાળવવા માટે ડિઝાઇન વેરિફિકેશનનો સમાવેશ થાય છે.
ડોકિંગ/અનડોકિંગ, લેન્ડિંગ, પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવા અને ચંદ્રના નમૂનાના સંગ્રહ અને વિશ્લેષણને પૂર્ણ કરવા માટે જરૂરી મુખ્ય તકનીકો પર આમાં રિસર્ચને અંજામ આપવામાં આવશે.
સ્ટેક 1 ચંદ્ર નમૂનાના સંગ્રહ માટે એસેન્ડર મોડ્યુલનો ઉપયોગ કરશે અને સપાટી પર ચંદ્ર નમૂનાના સંગ્રહ માટે ડીસેન્ડર મોડ્યુલનો ઉપયોગ કરશે. સ્ટેકર 2 માં થ્રસ્ટ માટે પ્રોપલ્શન મોડ્યુલ, સેમ્પલ હોલ્ડ માટે ટ્રાન્સફર મોડ્યુલ અને સેમ્પલને પૃથ્વી પર લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલનો સમાવેશ કરાશે.
ચંદ્રયાન-4 મિશન કેમ મહત્વનું છે?
આ મિશનમાં ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર લાવવામાં આવશે. મિશન માટે બે અલગ-અલગ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. તેને હેવી-લિફ્ટર LVM-3 અને ISROના વિશ્વસનીય વર્કહોર્સ PSLV દ્વારા વિવિધ પેલોડ વહન કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, અંતરિક્ષમાં મોડ્યુલને જોડવા અને અલગ કરવાથી ઘણા ફાયદા થશે, જેના કારણે ભવિષ્યમાં ભારતીય સ્પેસ સ્ટેશન આ ટેક્નોલોજીથી બનાવવામાં આવશે. આ કારણોસર ચંદ્રયાન-4 મિશન જરૂરી છે.
ઈસરોના વડા ડૉ. સોમનાથે જણાવ્યું કે ચંદ્રયાન-4 માટે વ્યાપક આયોજન પૂર્ણ થઈ ગયું છે, જેમાં મિશનના પ્રક્ષેપણના તબક્કાઓ, અવકાશમાં એસેમ્બલી અને ચંદ્ર પર ઉતરાણ માટેની વ્યૂહરચનાનો સમાવેશ થાય છે.
તેમણે અવકાશયાનને બે ભાગોમાં વિભાજીત કરવા વિશે સમજાવ્યું, કયો ભાગ ચંદ્ર પર રહેશે અને કયો ભાગ સેમ્પલ લઈને ભારત પરત આવશે. ડો.સોમનાથે જણાવ્યું કે, તેને બે ભાગમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પછી તેના મોડ્યુલને અંતરિક્ષમાં જોડવામાં આવશે. જેને ડોકીંગ કહેવામાં આવે છે. આ જ ટેક્નોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા માટે કરવામાં આવશે. આ પહેલા આવું કંઈ થયું નથી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
