ચન્નીના ભત્રીજાની ધરપકડ પર ભડક્યુ કોંગ્રેસ, કહ્યુ - CM દલિત છે માટે હેરાન કરી રહ્યુ છે ભાજપ
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીની ધરપકડ બાદ પંજાબનુ રાજકારણ ગરમાયુ છે.
ચંદીગઢઃ ગેરકાયદે રેતી ખનન મામલે મની લૉન્ડ્રીંગના આરોપો હેઠળ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીની ધરપકડ બાદ પંજાબનુ રાજકારણ ગરમાયુ છે. ઈડીએ ગુરુવારે દિવસભર ચાલેલી 8 કલાક લાંબી પૂછપરછ બાદ મોડી રાતે ભૂપિન્દર સિંહ હનીની ધરપકડ કરી લીધી. આ મામલે આમ આદમી પાર્ટી અને શિરોમણિ અકાલી દળે સીધા મુખ્યમંત્રી ચરણજીત સિંહને ઘેર્યા છે. વળી, કોંગ્રેસનુ કહેવુ છે કે આ સંપૂર્ણપણે એક રાજકીય ધરપકડ છે અને દલિત હોવાના કારણે ચરણજીત સિંહ ચન્નીને હેરાન કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજાની ધરપકડ પર શુક્રવારે પ્રતિક્રિયા આપીને કહ્યુ, 'આ એક સંપૂર્ણપણે રાજકીય ધરપકડ છે, જે દબાણ બનાવવાના હેતુથી કરવામાં આવી રહી છે. જો આ પ્રકારના મામલામાં કોઈ કાર્યવાહી કરવાની હોત તો 4-5 મહિનામાં જ થઈ જવી જોઈતી હતી, આવી કાર્યવાહી એક દિવસમાં નથી થતી. આ બધુ જાણીજોઈને કરવામાં આવી રહ્યુ છે. ચરણજીત સિંહ અનુસૂચિત જાતિના મુખ્યમંત્રી છે માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમનુ મનોબળ ઘટાડવા માટે આમ કરવામાં આવી રહ્યુ છે.'
'સીએમ ચન્નીએ 111 દિવસમાં ભ્રષ્ટાચારમાં કમાલ કરી દીધો'
વળી, બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતને લઈને સીએમ ચરણજીત સિંહ ચન્ની ઉપર નિશાન સાધ્યુ છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં લોકોને 4-5 વર્ષ લાગી જાય છે પરંતુ પંજાબના સીએમે માત્ર 111 દિવસમાં આ કમામલ કરીને બતાવી દીધો. તેમણે એટલો ભ્રષ્ટાચાર કરી દીધો...આ બહુ દૂર્ભાગ્યપૂર્ણ છે. પંજાબના લોકો બધુ જોઈ રહ્યા છે અને એક ઈમાનદાર સરકાર ઈચ્છે છે.'
આગલો નંબર ચન્નીનોઃ બિક્રમ સિંહ મજીઠિયા
શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ પણ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને આ બાબતે ઘેરીને કહ્યુ, 'મે પહેલા પણ કહ્યુ હતુ કે આ માત્ર ત્રણ લોકોની કહાની છે - ચન્ની, હની અને મની. મની પહેલા જ જપ્ત કરવામાં આવી ચૂકી છે, હવે હની પકડાઈ ગયો છે અને આગલો નંબર ચન્નીનો છે.'
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
