વિશાખાપટ્ટનમઃ ઝેરીલી ગેસ ગળતરથી હાલાત બગડ્યા, 3ના મોત
વિશાખાપટ્ટનમઃ ઝેરીલી ગેસ ગળતરથી હાલાત બગડ્યા, 3ના મોત
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ફર્મા કંપનીમાં ઝેરીલી ગેસ લીક થયા બાદ હાલાત બેકાબૂ થઈ ગયા છે. ગુરુવારે સવારે અચાનક ફેક્ટરીમાંથી ઝેરીલી ગેસનું ગળતર થવા લાગ્યું, જે બાદ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી ફરિયાદ થવા લાગી. લોકોને તરત હોસ્પિટલે પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે સ્થાનિક પ્રશાસન અને નૌસેના ફેક્ટરીની બાજુના ગામો ખાલી કરાવી રહ્યા છે.

શરૂઆતી રિપોર્ટ મુજબ વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ સ્થિત એલજી પૉલિમર ફેક્ટરીથી અચાનક ઝેરીલી ગેસનું ગળતર થવા લાગ્યું. ગણતરીની મિનિટોમાં જ ફેક્ટરીની આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, આંખોમાં તેજ બળતરા શરૂ થઈ ગઈ. સેંકડો લોકો માથાનો દુખાવો, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ સાથે હોસ્પિટલે પહોંચવા લાગ્યા. પોલીસ, ફાયર બ્રિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર છે. લોકોને જલદીમાં જલદી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.
સૂચનના મળતા જ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું. આજુબાજુના 5 ગામને ખાલી કરાવવામમાં આવી રહ્યા છે. ઘટના સ્થળે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે. ગામમાથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાયું નથી. લોકોને હોસ્પિટલે પહોંચાડવામાં આવી રહ્યા છે. જો કે હજી ગેસ ગળતરના કારણોનો પતો નથી લાગ્યો. લોકોને બહાર કાઢી તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા જ પ્રશાસનની પ્રાથમિકતા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
