Chhatisgarh Election Result 2023: કોણ બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, પૂર્વ સીએમ રમણ સિંહે તોડ્યુ મૌન
Chhattisgarh Election Result 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ બધાને ચોંકાવી દીધા છે. છત્તીસગઢમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે. છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 54 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 35 બેઠકો પર જ સીમિત રહી હતી.
છત્તીસગઢમાં ભાજપની જીત બાદ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે કે આખરે ત્યાં હવે મુખ્યમંત્રી કોણ બનશે? શું છત્તીસગઢના મુખ્યમંત્રી પદ માટે ભાજપના રમણ સિંહ સૌથી આગળ છે? કે પછી ભાજપ કોઈ અન્ય નેતા કે નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવશે?

હવે ભાજપના દિગ્ગજ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે આ તમામ પ્રશ્નો પર પોતાનું મૌન તોડ્યું છે. તે છત્તીસગઢના મુખ્યમંત્રી બનશે કે નહીં તેના પર તેમણે પ્રતિક્રિયા આપી છે.
ઈન્ડિયા ટુડે ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહને પૂછવામાં આવ્યું કે શું તેઓ રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે? તો આ અંગે તેમણે કહ્યું કે, 'આ નિર્ણય ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક હશે ત્યારે લેવામાં આવશે.'
રમણ સિંહે કહ્યું, "અમારા ધારાસભ્ય હમણાં જ જીત્યા છે. તેઓ બેઠક માટે રાયપુર આવશે. અમે તેમનો અભિપ્રાય લઈશું. કેન્દ્રીય નેતૃત્વ પણ આમાં સામેલ થશે. ધારાસભ્ય જે પણ નિર્ણય લે તે હું સ્વીકારવા તૈયાર છું.''
રમણ સિંહે કોંગ્રેસના ગિરીશ દેવાંગનને 45,084 મતોના માર્જિનથી હરાવીને રાજનાંદગાંવ સીટ જાળવી રાખી હતી. તમને જણાવી દઈએ કે રમણ સિંહ 2003થી 2018 સુધી ત્રણ વખત છત્તીસગઢના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો.
રમણ સિંહ સિવાય છત્તીસગઢ બીજેપી અધ્યક્ષ અરુણ સાઓ, સરોજ પાંડે, સાંસદ વિજય બઘેલ, બ્રિજમોહન અગ્રવાલ, રેણુકા સિંહ અને ઓપી ચૌધરીનું નામ પણ સીએમ રેસમાં દેખાઈ રહ્યું છે.
#EXCLUSIVE | Former Chhattisgarh CM @drramansingh's response on who will become the next chief minister.#ResultsOnIndiaToday #ElectionResults #ResultsOnAajTak #IndiaTodayExactPoll | @RahulKanwal @SardesaiRajdeep pic.twitter.com/Yh8FCcOzYV
— IndiaToday (@IndiaToday) December 3, 2023
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
