નક્સલીઓ સાથેની અથડામણમાં સબ ઈન્સ્પેક્ટર શહીદ, 4 નક્સલી ઠાર
છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના અત્યંત નક્સલ પ્રભાવિત માનપુર વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે પોલિસની નક્સલીઓ સાથે અથડામણ થઈ.
છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના અત્યંત નક્સલ પ્રભાવિત માનપુર વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે પોલિસની નક્સલીઓ સાથે અથડામણ થઈ. આમાં ચાર નક્સલી ઠાર મરાયા જ્યારે સબ ઈન્સ્પેક્ટર શ્યામ કિશોર શર્મા શહીદ થઈ ગયા. એએસપી નક્સલ ઑપરેશન જીએન બઘેલે જણાવ્યુ કે મોડી રાતે ક્ષેત્રન જંગલોમાં સર્ચિંગ માટે પોલિસ ટીમ નીકળી હતી. આ દરમિયાન ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલે નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ.

પોલિસ ટીમે પણ વળતી કાર્યવાહી શરૂ કરી. અડધી રાત સુધુ પોલિસની નક્સલીઓ સાથેની અથડામણ અને બંને તરફથી ભારે ગોળીબાર થતી રહી. આ દરમિયાન મદનવાડા પોલિસ સ્ટેશન પ્રભારી શ્યામ કિશોર શર્મા નક્સલીઓ સામે લડતા શહીદ થઈ ગયા. જણાાવવામાં આવ્યુ છે કે તેમના પેટમાંથી ગોળી આરપાર થઈ ગઈ. ચાર નક્સલીઓના આ અથડામણમાં માર્યા જવાના સમાચાર છે જેમાં 2 મહિલા નક્સલી પણ શામેલ છે. બધા નક્સલીઓના શબ મેળવી લેવાયા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.
પોલિસને ઘટના સ્થળેથી એકે-47 અને રાઈફલ જપ્ત કરી લીધી છે. ઘટનાની જાણકારી મળતા જ એસપી જિતેન્દ્ર શુક્લા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે 12 જુલાઈ 2009ના રોજ આ વિસ્તારમાં નક્સલ અથડામણમાં એસપી વીકે ચૌબે સહિત 29 જવાન શહીદ થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
