Chhattisgarh: જગદલપુરમાં ખનન સાઇટ પર અકસ્માત, 7 મજુરોના મોત, 12 ફસાયા
છત્તીસગઢના જગદલપુરમાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. બસ્તરના જગદલપુરથી 11 કિમી દૂર માલગાંવ ગામમાં અચાનક ખાણ ખાબકી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 12થી વધુ ગ્રામજનો ફસ
છત્તીસગઢના જગદલપુરમાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. બસ્તરના જગદલપુરથી 11 કિમી દૂર માલગાંવ ગામમાં અચાનક ખાણ ખાબકી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 12થી વધુ ગ્રામજનો ફસાયા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો અકસ્માત સ્થળે ફસાયેલા છે. પોલીસ અને SDRF દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2 ગ્રામજનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
