છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ ભૂપેશ બઘેલે મત આપવા કરી અપીલ, કહ્યુ - આ રાજ્યનુ ભવિષ્ય નક્કી કરશે
Chhattisgarh Assembly Election 2023: છત્તીસગઢમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. લોકો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે લોકોને અપીલ કરી છે કે તે રાજ્યના સારા ભવિષ્ય માટે મત જરુર આપે. તમારા મતથી રાજ્યનું ભવિષ્ય નક્કી થશે.
ભૂપેશ બઘેલે કહ્યું કે આજે 70 બેઠકો પર મતદાન થવાનું છે અને આ લોકશાહીનો મહા પર્વ છે. છત્તીસગઢમાં તહેવાર ઉજવવાની પરંપરા છે. આપણે તીજ, હોળી, દિવાળી ઉજવીએ છીએ. જ્યારે ભગવાન રામે લંકા પર વિજય મેળવ્યો ત્યારે દિવાળીનો તહેવાર વિજયના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ ભગવાન રામનું મોસાળ છે. આ માતા કૌશલ્યાનું પિયર છે, તેથી આપણી ખુશી તો વધી જાય છે.

આપણા છત્તીસગઢના લોકો સ્વધર્મી લોકો છે, એવો એક મહિનો કે પખવાડિયું નથી જેમાં કોઈ તીજ કે તહેવાર ના હોય. પ્રકૃતિ સાથે ખુશ રહેનારા લોકો છે, મુક્ત જીવન જીવનારા લોકો છે. આજે જ્યારે તમે મતદાન કરશો તો તમારો એક મત ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને યુવાનોનું ભવિષ્ય નક્કી કરશે. છત્તીસગઢ કેવી રીતે આગળ વધશે તે પણ આ વોટિંગ દ્વારા નક્કી કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે તમને અપીલ છે કે તમે મતદાન કરવા માટે તમારા ઘરની બહાર આવો, મતદાન મથક પર પહોંચો અને તમારા મતાધિકારનો ઉપયોગ કરો અને છત્તીસગઢને સુંદર બનાવવા માટે તમારા પ્રયાસો કરો. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
