છત્તીસગઢઃ નક્સલવાદીઓ સાથેની અથડામણમાં BSFના 4 જવાન શહીદ

છત્તીસગઢઃ નક્સલવાદીઓ સાથેની અથડામણમાં BSFના 4 જવાન શહીદ

રાયપુરઃ છત્તીસગઢના કાંકેરમાં નક્સલીઓ સાથે થયેલ અથડામણમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા. અગાઉ એક જવાન શહીદ અને 2 જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહીદ થયેલ એક જવાનનું નામ પી રામા કૃષ્ણ છે જે આંધ્ર પ્રદેશના રહેવાસી હતા.

bsf

ગુરુવારે સવારે બીએસએફના જવાનો પર એ સમયે હુમલો થયો જ્યારે તેઓ પેટ્રોલિંગ માટે નિકળ્યા હતા, જવાનો પર થયેલ હુમલા બાદ સુરક્ષાબળોએ મોર્ચો સંભાળ્યો અને નક્સલવાદીઓ પર જવાબી ફાયરિંગ કર્યું. ગુરુવારે બપોર સુધી હુમલાના 3 કલાક બાદ પણ નક્સલવાદીઓ અને સીમા સુરક્ષા બળના જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે.

છત્તીસગઢમાં નક્સલી હુમલાનો આ પહેલો મામલો નથી. માર્ચમાં દંતેવાડામાં નક્સલી હુમલામાં ઉન્નાવના રહેવાસી સીઆરપીએફ જવાન શશિકાંત તિવારી શહીદ થઈ ગયા હતા. સતત થયેલ આ હુમલામાં પાંચ અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. તાજા રિપોર્ટ મુજબ આ અથડામણમાં બીએસએફના કુલ 4 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો- વાયનાડમાં રાહુલ ગાંધીઃ મારી લડાઈ પીએમ મોદી સામે, CPM વિરોધી કંઈ નહિ બોલુ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X