ખેડૂત આંદોલનના લીધે બંધ થઇ ચિલ્લા બોર્ડર, લોકોને વૈકલ્પિક રસ્તેથી જવાની સલાહ
ત્રણ કૃષિ કાયદાની વિરુધ્ધ છેલ્લા 27 દિવસથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. આંદોલનકારી ખેડુતોની માંગ છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાને પાછો ખેંચે. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ કિંમતે આ કાયદ
ત્રણ કૃષિ કાયદાની વિરુધ્ધ છેલ્લા 27 દિવસથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. આંદોલનકારી ખેડુતોની માંગ છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાને પાછો ખેંચે. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ કિંમતે આ કાયદા પાછા નહીં લે. પરંતુ કેન્દ્ર સરકાર કાયદામાં સુધારો કરવા તૈયાર છે. તો તે જ સમયે, સેંકડો આંદોલનકારી ખેડુતોએ રસ્તાઓ રોકવા શરૂ કરી દીધા છે. દિલ્હી પોલીસે મંગળવારે માહિતી આપતા કહ્યું કે ખેડૂત આંદોલનને કારણે ચિલ્લા સરહદ બંધ કરવામાં આવી છે. નોઇડા અને ગાઝિયાબાદથી દિલ્હી જતા મુસાફરોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક માર્ગો પર જવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને સલાહ આપી છે કે જો તમારે દિલ્હી જવું હોય તો તમે ડીએનડી, અપ્સરા અને ભોપુરા બોર્ડર જેવા વૈકલ્પિક માર્ગેથી જઇ શકો છો. આ સિવાય લોકો આનંદ વિહારથી પણ જઈ શકે છે. અગાઉ સેંકડો ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર પર ટ્રાફિક સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે, ઘણા ખેડૂત વિરોધ કરી રસ્તાઓ પર બેસી રહ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ સલાહકાર અનુસાર, દિલ્હીથી ગાજીપુર અને ગાઝિયાબાદ જતા દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો કારણ કે બંને બાજુના રૂટ ટ્રાફિક માટે બંધ હતા.
ગાઝીપુર બોર્ડર પર દિલ્હીથી ગાઝિયાબાદ જવાના ટ્રાફિકને અસર થતાં નિઝામુદ્દીન ખટ્ટા, અક્ષરધામ અને ગાઝીપુર ચોકથી આનંદ વિહાર, અપ્સરા, ભોપરા, ડી.એન.ડી.ની આગળની મુસાફરી માટે ટ્રાફિક ડાયરેક્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પણ રોકી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે 7.30 વાગ્યાથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ છે. ગાઝીપુર-ગાઝિયાબાદ બોર્ડર બ્લોક પછી જનતાને અપડેટ કરવા માટે દિલ્હી ટ્રાફિક પોલીસ તેના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરી રહી છે.
આ પણ વાંચો: કોણ છે સુજાતા ખાન? જાણો બીજેપી છોડીને ટીએમસીમાં જવાનું કારણ
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
