For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmer Protestને પગલે બંધ થઈ ચિલ્લા- ગાઝીપુર બોર્ડર

Farmer Protestને પગલે બંધ થઈ ચિલ્લા- ગાઝીપુર બોર્ડર

|
Google Oneindia Gujarati News

Farmer Protest: પાછલા 46 દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલ નવા કૃષિ કાનૂન પરત લેવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલ આઠમા તબક્કાની વાતચીત પણ પરિણામ રહિત રહી. વાતચીતથી કંઈ ઉકેલ ના નિકળતાં ખેડૂતોએ પોતાનું આંદોલન વધુ તેજ કરી દીધું છે.

Farmer Protest

ખેડૂત આંદોલનને કારણે ચિલ્લા, ગાઝીપુર, સિંધૂ, ઔચંદી, પિયાઉ મનિયારી, સબોલી અને મંગેશ બોર્ડર બંધ કરી દીધી છે. આ રસ્તેથી યાત્રા કરતા યાત્રિઓને થતી અસુવિધાથી બચાવવા માટે દિલ્હી ટ્રાફિક પોલીસ સમયે સમયે વૈકલ્પિક માર્ગેથી જવાની સલાહ આપી રહી છે.

નોઈડા અને ગાઝિયાબાદ તરફથી દિલ્હી જતા અને આવતા યાત્રીઓએ કયા રસ્તેથી આવવું જોઈએ અને કોનાથી બચવું જોઈએ તેને લઈ દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે. રવિવારે દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જાહેર કરતા કહ્યું કે, નોઈડા અને ગાઝિયાબાદથી દિલ્હી જતા યાત્રી અસુવિધાથી બચવા માટે આનંદ વિહાર, ડીએનડી, ભોપરા અને લોની બોર્ડરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ખેડૂત આંદોલનના વિરોધમાં સુપ્રીમમાં અરજી, શાહિન બાગ ફેંસલાનો આપ્યો હવાલોખેડૂત આંદોલનના વિરોધમાં સુપ્રીમમાં અરજી, શાહિન બાગ ફેંસલાનો આપ્યો હવાલો

જ્યારે સિંધૂ, ઔચંદી, પિયાઉ મનિયારી, સબૌલી અને મંગેશ બોર્ડરથી જતા યાત્રીઓને લામપુર સાફિયાબાદ, પલ્લા અને સિંધૂ સ્કૂલ ટોલ ટેક્સ બોર્ડરથી જવાની દિલ્હી ટ્રાફિક પોલીસે સલાહ આપી છે. દિલ્હી ટ્રાફિક મુજબ મુકરબા અને જીટીકેથી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આની સાથે જ બાહરી રિંગ રોડ, જીટીકે રોડ અને NH-44ના રસ્તેથી બચવાની સલાહ આપી છે.

English summary
Chilla-Ghazipur border closed following Farmer Protest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X