ભારતીય મહાસાગરમાં ચીનનુ નૌકાદળ વધારી રહ્યુ છે પોતાની હાજરીઃ એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે હિંદ મહાસાગરમાં ચીનની નૌકાદળની ધીમે ધીમે વધી રહેલી હાજરી પર ચિંતા વ્યક્ત કરી છે. જયશંકરે કહ્યું કે ચીન હિંદ મહાસાગરમાં પોતાની હાજરી પહેલા કરતા વધારે વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા વિદેશ મંત્રીએ કહ્યું કે છેલ્લા 20-25 વર્ષોમાં ચીનનુ નૌકાદળ અહીં સતત પોતાની હાજરી વધારી રહી છે, તેની ગતિવિધિઓ પણ અહીં વધી છે. અહીં ચીની નેવીની સંખ્યામાં પણ વધારો થયો છે. જ્યારે તમારી પાસે ખૂબ મોટુ નૌકાદળ હોય છે ત્યારે તે ક્યાંકને ક્યાંક તૈનાત જોવા મળે છે.

એટલું જ નહીં, વિદેશ મંત્રીએ કહ્યું કે નવી દિલ્હી આવી ગતિવિધિઓ પર નજર રાખે છે, અમે તેના પર ખૂબ નજીકથી નજર રાખીએ છીએ, જેથી સુરક્ષામાં સુધારો કરી શકાય. ભારતના પરિપ્રેક્ષ્યમાં, આપણા માટે અહીં ચીનની મોટી હાજરી માટે પોતાને તૈયાર કરવું મહત્વપૂર્ણ છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે હિંદ મહાસાગરમાં ચીનની વધતી હાજરી અંગે કેટલીક અનિશ્ચિતતા હોવા છતાં, તે સ્પષ્ટ છે કે ચીન અહીં કોઈપણ પ્રકારની ગતિવિધિને આગળ વધારવા માટે સક્રિયપણે તે દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ સાથે વિદેશ મંત્રીએ કહ્યું કે, છેલ્લા 75 વર્ષોમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો સરળ રહ્યા નથી. 2008માં વૈશ્વિક આર્થિક સંકટ પછી હું 2009થી 2013 સુધી ત્યાં રાજદ્વારી હતો. મેં ચીનના વલણમાં પરિવર્તન જોયું, પછી હું અમેરિકા આવ્યો. ભારત-ચીન સંબંધો સરળ રહ્યા નથી. આમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા રહી છે. દેશો વચ્ચે યુદ્ધો થયા હોવા છતાં, 1975થી કોઈ લશ્કરી સંઘર્ષ થયો નથી.












Click it and Unblock the Notifications
