મહારાષ્ટ્રમાં સિનેમા હોલ અને થિયેટરો ખુલશે, સરકારે મંજુરી આપી!
કોરોના બીજી લહેરનો ગંભીર રીતે સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં લાંબા સમય પછી સિનેમા ઘરો અને થિયેટરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
કોરોના બીજી લહેરનો ગંભીર રીતે સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં લાંબા સમય પછી સિનેમા ઘરો અને થિયેટરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સમાચારની પુષ્ટિ કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સચિવાલયે કહ્યું કે, કોવિડ માર્ગદર્શિકા હેઠળ 22 ઓક્ટોબરથી રાજ્યમાં ફરી સિનેમા હોલ અને થિયેટરો ખોલવામાં આવશે. જણાવી દઈએ કે ઘણા રાજ્યોમાં થિયેટરો અને સિનેમાં હોલ પહેલા જ ખોલવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં મંદિરો અને શાળાઓ ખોલ્યા બાદ હવે સિનેમા ખોલવાની પરવાનગી અપાઈ છે.

મીડિયા અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે સિનેમા અને નાટકો સાથે સંકળાયેલા કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ, મલ્ટિપ્લેક્સ અને સિનેમા હોલના માલિકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક બાદ રાજ્ય સરકારે જાહેરાત કરી કે 22 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ અને સિનેમા હોલ ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીના નિર્ણય બાદ લગભગ દોઢ વર્ષ પછી રાજ્યમાં થિયેટરો ખોલવામાં આવશે.
લાંબા સમયથી મહારાષ્ટ્રમાં સિનેમા હોલના માલિકો સરકારને કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ થિયેટરો ખોલવાની અપીલ કરી રહ્યા હતા. મુંબઈમાં બોલિવુડ ગઢમાં જ સિનેમા ગૃહો બંધ હોવાને કારણે મલ્ટિપ્લેક્સ અને સિનેમા હોલના માલિકોને ભારે તકલીફ પડી રહી હતી. અહીં મૂવી જોનારાઓની મોટી સંખ્યા છે. થિયેટરો, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સની શરૂઆત થતા રાજ્ય સરકારને અર્થતંત્રને વેગ મળવાની અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું છે કે, 7 ઓક્ટોબરથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. આ માટે ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. આ દિવસથી નવરાત્રિ પણ શરૂ થશે. મુખ્યમંત્રી કાર્યાલયે સ્પષ્ટ કર્યું કે સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ ત્યાં આવતા ભક્તો માટે કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
