યૌન શોષણ મામલામાં CJIને ક્લીન ચિટ મળતા મહિલા કોપાયમાન, લગાવ્યા ગંભીર આરોપ
યૌન શોષણ મામલામાં CJIને ક્લીન ચિટ મળતા મહિલા કોપાયમાન, લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીના યૌન ઉત્પીડન મામલામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને ક્લીન ચિટ મળી ગઈ છે. મામલાની તપાસ કરી રહેલ ત્રણ જજોની પેનલે જસ્ટિસ ગોગોઈ પર લાગેલ આરોપો ખોટા હોવાનું જાણ્યું. જ્યારે સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ આપવામાં આવ્યા બાદ આરોપ લગાવનાર મહિલાની પણ પ્રતિક્રિયા આવી છે. આંતરિક તપાસ સમિતી તરફથી ક્લીન ચિટ આપવામાં આવ્યા બાદ ફરિયાદી મહિલાનું નિવેદન સામે આવ્યું છે.

મહિલાએ કહ્યું- ઘોર અન્યાય થયો
ફરિયાદીએ કહ્યું કે તેની સૌથી ખરાબ આશંકા ખરી ઠરી અને ન્યાયની તેની બધી જ ઉમ્મીદો ચકનાચૂર થઈ ગઈ છે. મહિલાની આ પ્રતિક્રિયા ત્યારે સામે આવી જ્યારે ત્રણ જજોની આંતરિક તપાસ કમિટીએ સીજેઆઈ ઉપર લાગેલ આરોપોને નિરાધાર ગણાવી દીધા. યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર મહિલાનું કહેવું છે કે તેની સાથે ઘોર અન્યાય થયો છે.

બધા જ તથ્યો બાદ ફરિયાદ રદ્દ કરવામાં આવી
સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારી મહિલાએ એમ પણ કહ્યું કે આ જાણીને તેઓ બહુ નિરાશ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ઈન-હાઉસ સમિતિએ સીજેઆઈ રંજન ગોગોઈ વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદમાં કંઈ ન મેળવ્યું, બલકે તેની સાથે ઘોર અન્યાય પણ થયો છે. મહિલાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, હું બહુ ડરી ગઈ છું, કેમ કે ઈન-હાઉસ કમિટીએ તેમની સામે તમામ તથ્યોને રાખ્યા છતાં કોઈ ન્યાય કે સુરક્ષા આપવામાં આવી નથી. કમિટીએ મારી ખોટી રીતે બરતરફ કરી દીધી, તિરસ્કાર કર્યો અને મારા પરિવારનું અપમાન થયું, તેના વિશે કંઈપણ ન કહ્યું. હવે મારો પરિવાર ખતરામાં છે.

પેનલે CJIને આપી ક્લીન ચિટ
જણાવી દઈએ કે મહિલાના આરોપ બાદ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની આ ઈન-હાઉસ પેનલને મામલાની તપાસ માટે રચવામાં આવી હતી. પેનલે પોતાની તપાસમાં ચીફ જસ્ટિસ પર લાગેલ આરોપોને ખોટા જણાતાં તેમને ક્લીન ચિટ આપી દીધી હતી. મામલાની તપાસ કરી રહેલ જસ્ટિસ એસએ બોબડે, ઈન્દિરા બેનરજી અને ઈંદુ મલ્હોત્રાની પેનલે પોતનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. આ રિપોર્ટ સીજેઆઈને સોંપી દેવામાં આવ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટના નિયમોનો હવાલો આપતાં આ રિપોર્ટ જાહેર કરવામાં ન આવ્યો.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
