આગ્રાના કિલ્લામાં મસ્જિદના પગથિયાં નીચે દટાયેલી 'મૂર્તિઓ' મળ્યાનો દાવો
શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ જમીન વિવાદ કેસમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે.
મથુરા, 27 મે : શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ જમીન વિવાદ કેસમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. આ નવી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 1670માં ઔરંગઝેબ મથુરાના મંદિરને તોડીને મૂર્તિઓ અને કિંમતી સામાન લઈને આગ્રાના લાલ કિલ્લામાં ગયો હતો. અરજીમાં સીડીઓની તપાસની માગ કરવામાં આવી છે, કારણ કે મૂર્તિઓ તેમની નીચે કથિત રીતે છે.
અરજીમાં ડાયરેક્ટર જનરલ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા, સુપરિન્ટેન્ડેન્ટ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા આગ્રા, ડિરેક્ટર આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા અને કેન્દ્રીય સચિવને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં 11 વાગ્યા પછી આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
એડવોકેટ મહેન્દ્ર પ્રતાપે શુક્રવારના રોજ મથુરા સિવિલ કોર્ટમાં નવો દાવો દાખલ કર્યો છે. સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાખલ કરાયેલા દાવામાં દાવો કરવામાં આવ્યો હતો કે, આગ્રાના લાલ કિલ્લાની અંદર દીવાન એ ખાસ પાસે બેગમ સાહિબાની મસ્જિદના પગથિયા નીચે કેશવ દેવની પૌરાણિક, મૂલ્યવાન અને રત્ન જડિત મૂર્તિઓ દફનાવવામાં આવી હતી. દાવામાં એવી અરજી કરવામાં આવી હતી કે, કોર્ટમાં પુરાતત્વ વિભાગ પાસેથી ખોદકામ કરાવીને મૂર્તિ બહાર કાઢવામાં આવે.
એડવોકેટ મહેન્દ્ર સિંહે અરજીમાં જણાવ્યું હતું કે, મસ્જિદના પગથિયાં નીચે મૂર્તિને દફનાવવાથી અને તેના પર ચાલતા મુસ્લિમ લોકોના કારણે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમના દાવાના સમર્થનમાં, વકીલે ઔરંગઝેબના મુખ્ય દરબારી સાખી મુસ્તેક ખાન દ્વારા લખાયેલા પુસ્તક મસર એ આલમ ગિરીનો ઉલ્લેખ કર્યો છે. આ ચર્ચા દ્વારા, લાલ કિલ્લામાં હાજર બેગમ સાહિબાની સીડીઓનું સર્વેક્ષણ કર્યા પછી મૂર્તિને હટાવવાની વિનંતી કરવામાં આવી હતી.
આ અરજીની સુનાવણી કરતાં સિવિલ જજ, વરિષ્ઠ વિભાગે, દાવો સ્વીકાર્યો ન હતો, ત્યારે અરજદારોને દાવો દાખલ કરતા પહેલા વિરોધી પક્ષોને 80 CPC હેઠળ નોટિસ આપવાનો આદેશ આપ્યો હતો. વિરોધીઓએ અરજીકર્તાને 60 દિવસમાં જવાબ આપવાનો રહેશે. જવાબ ન મળે તો કોર્ટનો દરવાજો ખટખટાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, રતન લાલ હિંદુ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં શિવલિંગ મળી આવ્યું હોવાના હિન્દુ પક્ષના દાવાઓની મજાક ઉડાવતા તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેને વાંધાજનક ગણીને, તેમની સામે IPCની કલમ 153A (બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ શુક્રવારે રાત્રે રતનલાલની ધરપકડ કરવામાં આવી હતી.