શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે (19 ડિસેમ્બર) સવારથી અથડામણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરના હરવાન વિસ્તારમાં એક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યો છે.
શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે (19 ડિસેમ્બર) સવારથી અથડામણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 1અજ્ઞાત આતંકવાદી માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી જીએનએસએ અહેવાલ આપ્યો છે કે, માર્યા ગયેલા આતંકવાદી લશ્કર એ તૈયબા સાથે જોડાયેલો હોય તેવી શકયતા છે. જે વિદેશી હોય શકે છે. અથડામણ આજે વહેલી શરૂ થઈ જ્યારે સુરક્ષા દળોએ એક આતંકવાદી હોવાની માહિતીને પગલે વિસ્તારને ઘેરી લીધો હતો.
રવિવારની સવારે લગભગ 4 કલાકે શ્રીનગરની બહારના હરવનમાં ટૂંકી ગોળીબાર શરૂ થયો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું હતું કે, પોલીસ અને સુરક્ષા દળો હાલ કાર્યવાહી કરી રહ્યા છે.
આ અગાઉ ગુરુવારના રોજ (ડિસેમ્બર 16) જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર એ તૈયબા (LeT)ના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
