છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે અથડામણ, 5 જવાન શહીદ, 15 લાપતા
છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે અથડામણ, 5 જવાન શહીદ, 15 લાપતા
છત્તીસગઢના જિલ્લા બીજાપુરમાં શનિવારે નક્સલવાદીઓ સાથે અથડામણમાં 5 જવાન શહીદ થઈ ગયા છે અને લગભગ 30 જેટલા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 23 જવાનને બીજાપુર હોસ્પિટલમાં અને 7ને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢ પોલીસના સૂત્રોએ આ સમાચાર આપ્યા છે. અહેવાલ મુજબ સુકમા અથડામણ બાદ ઓછામા ઓછા 15 જવાન લાપતા છે. અથડામણમાં ઠાર મરાયેલા 5માંથી 2 જવાનના દેહ મળી આવ્યાં છે. છત્તીસગઢના એક વરિષ્ઠ અધિકારીએ કેટલાય નક્સલવાદીઓ ઠાર મરાયા હોવાની પુષ્ટિ કરી છે. આઈજી બસ્તર પી સુંદરરાજે શરૂઆતી જાણકારી બાદ કહ્યું કે અથડામણમાં ઓછામા ઓછા 9 નક્સલવાદી ઠાર મરાયા છે અને 15 ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે અથડામણમાં 250 નક્સલવાદીઓ સામેલ હતા. જો કે ફાઈનલ આંકડા આપવાની તેમણે ના પાડી દીધી હતી.

અધિકારીએ કહ્યું કે રાયપુરથી 400 કિમી દૂર સુકમા અને બીજાપુરની સીમા પર તરન ક્ષેત્રના જંગલોમાં અથડામણ થઈ, માટે કેટલા નક્સલવાદી ઠાર મરાયા તેનો આંકડો જણાવી ના શકાય પરંતુ તેમને પણ ભારી નુકસાન થયું છે. બસ્તરમાં પાછલા 10 દિવસમાં સુરક્ષાબળો પર આ બીજો મોટો હુમલો હતો.
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના માઓવાદીઓએ ઘાત લગાવી સુરક્ષાબળો પર હુમલો કર્યો. માનવામાં આવી રહ્યું છે કે માઓવાદીઓને ભારે નુકસાન થયું છે, છત્તીસગઢના ગૃહમંત્રીએ કહ્યું કે બંને દળ એટલે કે સુરક્ષાબળો અને નક્સલીઓએ મોર્ટાર અને અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ એક વરિષ્ઠ પોલીસ અધિકારી મુજબ બંને તરફ નુકસાનીની સંખ્યા વધી શકે છે કેમ કે રાયપુરથી 400 કિમી દૂર સુકમા અને બીજાપુરની સીમા પર તરન ક્ષેત્રના જંગલોમાં અથડામણ ચાલુ છે. સીઆરપીએફની કોબરા કમાંડો ટીમ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિજર્વ ગાર્ડ ત્રણેય સુરક્ષા બળોના લગભગ 400 જવાન જોઈન્ટ ઓપરેશન અંતર્ગત શુક્રવારે આ વિસ્તારમાં માઓવાદીઓ સમે અભિયાન ચલાવી રહ્યા હતા. તે દરમ્યાન શનિવારે માઓવાદીઓએ સુરક્ષાબળો પર હુમલો કર્યો અને બસ્તર રેંજના બીજાપુર જિલ્લાના તારેમ વિસ્તારમાં આ અથડામણ શરૂ થઈ ગઈ.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
