દિલ્લીની અદાલતે સીએમ અરવિંદ કેજરીવાલની 20 મે સુધી લંબાવી ન્યાયિક કસ્ટડી
Arvind Kejriwal: દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો આંચકો લાગ્યો છે.
આ કેસની સુનાવણી દરમિયાન દિલ્હીની એક કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 મે સુધી લંબાવી હતી. રિપોર્ટ અનુસાર, આ આદેશ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા 23 એપ્રિલના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી વધારી દીધી હતી. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આ આદેશ આપ્યો હતો. તેણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 7 મેના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. જે બાદ આજે ન્યાયિક કસ્ટડી પૂરી થાય તે પહેલા દિલ્હીની એક કોર્ટે સીએમ કેજરીવાલની કસ્ટડી 20 મે સુધી વધારી દીધી છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે મંગળવારે જામીન અરજી પર સુનાવણી કરી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ કેજરીવાલની અરજી પર જામીન આપવા તૈયાર હતી પરંતુ તેણે એક શરત મૂકી જેના કારણે કેજરીવાલને આજે પણ રાહત મળી નથી.
સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે જામીન અરજી પર સુનાવણી કરતી વખતે આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને કહ્યું કે જો જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવશે તો તેમને સત્તાવાર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
