પોલીસ મેમોરિયલ ડે પર સીએમ ભગવંત માને પંજાબ પોલીસની સેવાને બીરદાવી
દેશ માટે બલિદાન આપનાર પોલીસના જાંહાજ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા શનિવારે રાષ્ટ્રીય સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબ પોલીસના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોલીસની સેવાને બિરદાવી. મુખ્યમંત્રીએ કહ્યું કે, તે પંજાબ પોલીસની સેવા અને તત્પરતાને સલામ કરે છે.

ભગવંત માને લખ્યુ કે, આ દિવસ બહાદુર પોલીસ જવાનોને યાદ કરવા અને સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે, જેમણે ફરજ માટે પોતાનું બલિદાન આપ્યું છે.
પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા શનિવારે પંજાબ સશસ્ત્ર પોલીસ હેડક્વાર્ટર ખાતે 64માં રાજ્ય કક્ષાના પોલીસ સ્મારક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં પંજાબના મહાનિર્દેશક પંજાબ ગૌરવ યાદવે દેશની સુરક્ષા માટે આતંકવાદીઓ અને ગુનેગારો સામે લડતા તેમના જીવનની આહુતિ આપનારા બહાદુર પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ડીજીપી યાદવે પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે. પંજાબ પોલીસનો બહાદુરી અને બલિદાનનો ભવ્ય ઇતિહાસ છે. પંજાબ પોલીસ દળના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ દેશની એકતા અને અખંડિતતા જાળવતા અને નાગરિકોની સુરક્ષા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.
ડીજીપી યાદવે કહ્યું કે, સપ્ટેમ્બર 1981થી રાજ્ય પોલીસે આ વર્ષે ત્રણ અધિકારીઓ સહિત 1797 અધિકારીઓનું બલિદાન આપ્યું છે.
તેમણે કહ્યું કે, પંજાબ પોલીસ તેની બહાદુરી, હિંમત અને સફળતાપૂર્વક આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે જાણીતી છે. પંજાબ પોલીસ આતંકવાદીઓ અને દેશના દુશ્મનોથી ભારતની માતૃભૂમિની સુરક્ષામાં હંમેશા અગ્રેસર રહી છે.
આ સાથે તેમણે કહ્યું કે, પંજાબ પોલીસ સરહદી રાજ્યમાં શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે સખત મહેનત કરી રહી છે અને કરતી રહેશે.












Click it and Unblock the Notifications
