'CM કેજરીવાલની આજે થઈ શકે છે ધરપકડ, ઘરે પણ પડી શકે દરોડા', આપ નેતાઓનો દાવો
Delhi CM Arvind Kejriwal: આમ આદમી પાર્ટી (AAP) નેતાઓનો દાવો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ગુરુવારે મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. આપ નેતાઓએ એવો પણ દાવો કર્યો છે કે ઈડી સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પણ દરોડા પાડી શકે છે.
સીએમ કેજરીવાલ બુધવારે દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસમાં એજન્સીના સમન્સમાં હાજર રહ્યા ન હતા. જે બાદ આપ નેતાઓએ સીએમ કેજરીવાલની ધરપકડની વાત કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપના નેતા અને દિલ્હીના કાયદા અને પીડબ્લ્યુડી મંત્રી આતિશીએ કહ્યું, "સમાચાર છે કે ઈડી આવતીકાલે સવારે (એટલે કે આજે) અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દરોડા પાડવા જઈ રહી છે. જે પછી ધરપકડ થવાની સંભાવના છે."
આતિશીની પોસ્ટની થોડી મિનિટો પછી, દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે પણ ટ્વિટર પર ઈડી દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડની અટકળોનો દાવો કર્યો હતો. સૌરભ ભારદ્વાજે લખ્યું, "સાંભળવામાં આવી રહ્યું છે કે ઈડી આવતીકાલે સવારે(એટલે કે આજે) મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે પહોંચશે અને તેમની ધરપકડ કરશે."
सुनने में आ रहा है कल सुबह मुख्यमंत्री केजरीवाल जी के घर ED पहुँच कर उन्हें गिरफ़्तार करने वाली है ।
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) January 3, 2024
કેજરીવાલે બુધવારે દિલ્હી દારૂ નીતિ કેસના સંબંધમાં ઈડી દ્વારા ત્રીજા સમન્સને અવગણીને રાજ્યસભાની ચૂંટણીઓ, પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ અને તપાસ એજન્સીના "નૉન ડિસ્ક્લોઝર અને નૉન રિસ્પૉન્સ અપ્રોચ" ને તેની સમક્ષ હાજર ન થવાના કારણો તરીકે ટાંક્યા હતા. ઈડી ને લખેલા પત્રમાં, આપ વડાએ એમ પણ કહ્યું હતું કે તે તેમના દ્વારા મોકલવામાં આવેલ કોઈપણ પ્રશ્નાવલિનો "જવાબ આપવામાં ખુશ થશે".
તમને જણાવી દઈએ કે દિલ્હીના સીએમની ગયા વર્ષે એપ્રિલમાં સીબીઆઈ દ્વારા એક્સાઈઝ પૉલિસી કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણ વરિષ્ઠ આપ નેતાઓ - ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને આપ સંચાર પ્રભારી વિજય નાયરની - આ કેસમાં ઈડી દ્વારા પહેલાથી જ ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયા અને સિંહ બંનેની એ જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી કે જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
