Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM Yogi : મઉમાં યોગી આદિત્યનાથ સભાઓ ગજવશે, ઢેર કરશે મુખ્તારનો ગઢ

CM Yogi : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારના રોજ મઉ શહેરના મધ્યમાં આવેલી જીવરામ ઇન્ટર કોલેજના હોસ્ટેલના મેદાનમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરશે. યોગી આદિત્યનાથ મુખ્તાર અંસારીના ગઢમાં માફિયાના વિરુદ્ધ સરકાર સરકાર તરફથી કાર્યવાહીની યાદ અપાવીને મતદાતાઓને પોતાની તરફ વાળશે.

લગભગ 45 મિનિટની તેમની ચૂંટણી જાહેર સભામાં તેઓ જિલ્લાની એક નગરપાલિકા અને દસ નગર પંચાયતોમાં ભાજપના ઉમેદવારોના વિજય ઝંડા ફરકાવવાનો મંત્ર કાર્યકરોને આપશે.

Yogi Adityanath

ગત વખતે જિલ્લામાં માત્ર બે નગર પંચાયત પ્રમુખ પદ પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા, પરંતુ આ વખતે પાર્ટીનો ઉદ્દેશ્ય એ છે કે, નગરપાલિકા સહિત તમામ દસ નગર પંચાયતોમાં ભાજપનું વર્ચસ્વ રહે. કારણ કે, ભાજપ આ બોડી ચૂંટણીને આગામી લોકસભા ચૂંટણીની સેમી ફાઈનલ માની રહી છે. આ જ કારણ છે કે, તમામ બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરીને ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.

એવું માનવામાં આવે છે કે, ભાજપના મુખ્ય મતદારો મહાનગરો, શહેરો અને નગરોમાં અન્ય પક્ષો કરતાં પ્રમાણમાં વધુ છે, પરંતુ અગાઉની નગરપાલિકાની અત્યાર સુધીની ચૂંટણીઓ પર નજર કરીએ, તો મઉ ભાજપને માત્ર એક જ વાર વિજયશ્રી મળ્યું છે.

બાકી તમામ વખત મઉમાં વિપક્ષી દળોનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે જિલ્લાની નગરપાલિકા સહિત તમામ 10 નગર પંચાયતોમાં ભાજપના ઉમેદવારો જીતે તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાસ કરી રહ્યા છે.

આ આશય સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યના તમામ જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી જાહેરસભાઓ કરી રહ્યા છે. આ પૈકીની એક જાહેરસભા બુધવારના રોજ જિલ્લામાં યોજાવાની છે. મુખ્તાર મઉથી સતત પાંચ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા હોવાથી એવું માનવામાં આવે છે કે, મઉ તેમનો મજબૂત ગઢ છે.

છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે મઉ આવ્યા હતા. એ વખતે મોદીએ મુખ્તારનું નામ લીધા વિના તેમની સામે બ્યુગલ ફૂંક્યું વધાર્યું હતું. એ જ વર્ષે જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર બની, ત્યારે માફિયા મુખ્તારના મૂળ ધ્રૂજવા લાગ્યા હતા, પરંતુ મુખ્તારના પુત્ર અબ્બાસ અન્સારી છેલ્લી ચૂંટણીમાં જ સદર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.

શહેરના મતદારો પર મુખ્તારની ચુસ્ત પકડના પરિણામે આ જોવા મળ્યું હતું. એટલા માટે આ વખતે મઉ બેઠકો જીતવી એ પાર્ટીની પ્રાથમિકતાઓમાંની એક છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીની ચૂંટણી સભા બાદ મઉ ચૂંટણીનો માહોલ બદલાશે, તેવું માનવામાં આવી રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X