CM યોગી સરકાર બુંદેલખંડમાં ઔદ્યોગિકરણને આપશે પ્રોત્સાહન, લીધા આ મહત્વના નિર્ણય
Bundelkhand Industrial Development Authority: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેબિનેટમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં બુંદેલખંડને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત હવે આ વિસ્તારમાં જમીન ખરીદવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
બુંદેલખંડ પ્રદેશના ઔદ્યોગિકીકરણને વેગ આપવા માટે, બુંદેલખંડ ઔદ્યોગિક વિકાસ સત્તામંડળની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના સૌથી પછાત ગણાતા આ પ્રદેશમાં જમીનની ખરીદી માટે રૂ. 5,000 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું.

આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રૂ. 3.75 લાખ કરોડથી વધુની મૂડીરોકાણની દરખાસ્તો પ્રાપ્ત કરીને બુંદેલખંડ ક્ષેત્ર રોકાણકારો માટે પસંદગીના સ્થળોમાંના એક તરીકે ઉભરી આવ્યું હતું.
યુપીના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ નંદીએ કહ્યું કે, સરકારે પૂરક બજેટ-2023માં 8,000 કરોડની ફાળવણી કરી હતી જેનો ઉપયોગ BIDA અને આવી અન્ય સંસ્થાઓ દ્વારા જમીન ખરીદવા માટે કરવામાં આવશે. આ રકમમાંથી BIDAને 5,000 કરોડ જ્યારે અન્ય સંસ્થાઓને 3,000 કરોડ મળશે. ડિફેન્સ કોરિડોર, બુંદેલખંડ એક્સપ્રેસવે અને BIDA આ વિસ્તારમાં વિકાસને વેગ આપશે.
બુંદેલખંડ પ્રદેશમાં ઝાંસી, બાંદા, લલિતપુર, હમીરપુર, જાલૌન, મહોબા અને ચિત્રકૂટ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રના ચાર જિલ્લા રોકાણની દ્રષ્ટિએ ટોચના 20 જિલ્લાઓમાં સામેલ હતા. ઝાંસી છઠ્ઠા, ચિત્રકૂટ 11મા, જાલૌન 14મા અને લલિતપુર 20મા ક્રમે છે. ઝાંસીને રૂ. 1,35,865 કરોડની 216 દરખાસ્તો મળી હતી. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, બુંદેલખંડ પ્રદેશમાં રોકાણથી 3,33,992 યુવાનોને રોજગારી મળવાની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
