વિજળીની કમીના કારણે ઘણી મુસાફર ટ્રેનો રદ, માલગાડીઓની સ્પીડ વધારાઈ
એક વાર ફરીથી દેશવ્યાપી કોલસા સંકટ ઉભુ થઈ ગયુ છે. આનો સામનો કરવા માટે ભારત સરકારે એક મોટુ પગલુ લીધુ છે.
નવી દિલ્લીઃ ભીષણ ગરમીના કારણે દેશમાં વિજળીની માંગ ઘણી વધી ગઈ છે જેના કારણે એક વાર ફરીથી દેશવ્યાપી કોલસા સંકટ ઉભુ થઈ ગયુ છે. આનો સામનો કરવા માટે ભારત સરકારે એક મોટુ પગલુ લીધુ છે. જે હેઠળ, અમુક મુસાફર ટ્રેનોને રદ કરવામાં આવી છે જેથી કોલસો લઈ જઈ રહેલી માલગાડીઓની અવરજવર થઈ શકે. આશા રાખવામાં આવી રહી છે કે આ પગલાંથી આવનારા દિવસોમાં સ્થિતિ સુધરી જશે.

વાસ્તવમાં, દેશમાં 70 ટકા વિજળીનુ ઉત્પાદન કોલસા પર જ નિર્ભર છે. કોલસાનો પુરવઠો ન હોવાના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વિજળી કાપ થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉદ્યોગોનો પણ પુરવઠો રોકવો પડ્યો છે જેના કારણે અર્થવ્યવસ્થા પર પણ જોખમ મંડરાઈ રહ્યુ છે એવામાં સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેના કારણે મુસાફર ટ્રેનોને રદ કરીને કોલસાવાળી ગાડીઓ માટે બાધારહિત માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ક્યાં સુધી રદ રહેશે ટ્રેનો?
આ બાબતે ભારતીય રેલવેના કાર્યકારી નિર્દેશક ગૌરવ કૃષ્ણ બંસલે કહ્યુ કે આ ઉપાય અસ્થાયી છે અને સ્થિતિ સામાન્ય થતા જ મુસાફર સેવાઓ ચાલુ કરી દેવામાં આવશે. તેમની કોશિશ છે કે કોલસાને પાવર પ્લાન્ટ સુધી પહોંચાડવામાં લાગતા સમયને ઘટાડવામાં આવે અને સપ્લાઈમાં તેજી આવે. તેમણે આશા વ્યક્ત કરી કે જલ્દી સ્થિતિ સામાન્ય થઈ જશે.
પુરવઠામાં વિલંબ માટે રેલવે દોષી?
તમને જણાવી દઈએ કે ભારતીય રેલવેને ઘણીવાર કોલસાના પુરવઠામાં અડચણ માટે દોષી ગણવામાં આવે છે કારણકે માલગાડીઓની કમીના કારણે કોલસાને લાંબા અંતર સુધી લઈ જવુ મુશ્કેલ થઈ ગયુ છે. ઘણી વાર મુસાફર ટ્રેનોના કારણે માલગાડીઓને પણ રોકી દેવામાં આવે છે. જેનાથી શિપમેન્ટમાં વિલંબ થાય છે. તેમછતાં આ કોલસા પરિવહન માટે પ્લાન્ટ સંચાલકોનો પસંદગીનો વિકલ્પ બનેલો છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
