Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોંગ્રેસને ડસવા માટે ભાજપમાં સામેલ થયા ‘નાગરાજ’

નવી દિલ્હી, 8 ઓક્ટોબરઃ લોકસભા ચૂંટણી 2014ને હવે થોડોક જ સમય બાકી છે. દરેક રાજકિય પાર્ટી એક બીજાને માત આપવા માટે હર સંભવ પ્રયત્નો કરી રહ્યાં છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક મોટો દાવ ખેલ્યો છે અને કોંગ્રેસને પછડાટ આપવા માટે નાગરાજને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. અરે, ચોંકતા નહીં અમે કોઇ સર્પ નાગરાજની નહીં પરંતુ નાગરાજ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, શક્તિમાન અને રામ-રહિમ કાર્ટૂનને આકાર આપનારા લેખક હનીફ અઝહરની વાત કરી રહ્યાં છીએ.

nagraj-in-bjp
જી હાં, બાળકોના દિલમાં રાજ કરનારા હનીફ અઝહરે ભાજપના સામેલ થવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે પ્રદેશ અધ્યક્ષ વિજય ગોયલ અને અલ્પસંખ્યક મોર્ચાના અધ્યક્ષ આતિમ રાશિદની હાજરીમાં કોમિક લેખક પાર્ટીમાં સામેલ થઇ રહ્યાં છે. હનીફ અઝહર ભાજપમાં સામેલ થવાથી દિલ્હીનો બંઝારા સમાજ પણ પાર્ટીમાં જોડાઇ શકે છે કે, કારણ કે હનીફ અખીલ ભારતીય મુસ્લિમ બંઝારા સમાજ સાથે જોડાયેલી છે અને દિલ્હીમાં આ સમાજના અંદાજે એક લાખ મતદાતા છે.

નોંધનીય છે કે, અઝહર અત્યારસુધી ચાર હજાર કોમિક લખી ચૂક્યા છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, અઝહર ભાજપમાં સામેલ થવાથી મુસ્લિમ સમુદાયનો બંઝારા સમાજ પાર્ટી સાથે જોડાશે. આ સાથે જ વિપક્ષ પર હુમલો કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્ટૂનનો ઉપયોગ કરવામાં આવશે. હનીફ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X