ફેસબુક પર સોનિયા-મનમોહનને બદનામ કરનારાઓની ખેર નથી
મુંબઇ, 3 નવેમ્બર: સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર મનમોહન સિંહ અને સોનિયા ગાંધીના વાંધાજનક ફોટા અપલોડ કરવા પર હવે તમારા વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકે છે. ફેસબુક સહિત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીના વાંધાજનક ફોટા અપલોડ કરનાર પર હવે કાનૂન્ની કાર્યવાહી થઇ શકે છે.
તાજા કિસ્સામાં બોમ્બે હાઇકોર્ટના એક વકિલ વિનોદ ગંગવાલે આ સંબંધમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. પોતાની ફરિયાદમાં તેમને કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વ સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીના આપત્તિજનક ફોટા અને વિડિયો અપલોડ કરી રહ્યાં છે. એવામાં તેમની છબિને આ પ્રકારના ફોટાથી નુકસાન થાય છે.
ફરિયાદીએ જ્યારે આ બાબતે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવાની વાત કહી તો પોલીસે એમ કહી કાર્યવાહી કરવાની પોલીસ કાર્યવાહીથી તંગ ગંગવાલે આ અંગે વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને ફેસબુક પર થઇ રહેલી ગંદી હરકતોની જાણકારી આપી. પીએમઓને દખલ બાદ કાનૂન્ની સહમતિ બાદ પોલીસે આઇટી એક્ટની કલમ 67 હેઠળ દાખલ કર્યો. પોતાની ફરિયાદમાં ગંગવાલે કહ્યું કે તેમને પોતાની ફરિયાદમાં ફેસબુક અને યૂટ્યૂબનું નામ એટલા માટે લીધું છે કારણ કે અપલોડ કરતાં પહેલાં કન્ટેટને સ્કેન અને ફિલ્ટર કરવું જોઇએ.